________________
अस्पृशद्गतिवादः सम्भवादस्पृशद्गतिविरुद्धैवेति शङ्कनीयम्-तत्तत्क्रियायास्तत्तदुत्तरदेशसंयोगहेतुत्वेनाविरोधात्, तदिदमुक्तं
-અસ્પર્શોપનિષદ શી રીતે થઈ શકે? “વેગથી પડે છે આવો વ્યવહાર જ બતાવે છે કે વેગવિશેષ એ પતનને અનુકૂળ છે. વેગવિશેષના કારણે પતન થાય છે. આ વિષયમાં અમે અન્યત્ર વિસ્તારથી કહ્યું છે.
પૂર્વપક્ષ :- અસ્પૃશદ્ગતિની સિદ્ધિ માટે તમે ગમે તે તર્કો લગાડો, પણ અસ્પૃશદ્ગતિ તો પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ જ છે. કારણ કે સન્નિહિત દેશના સંયોગ વિના વ્યવહિત દેશનો સંયોગ સંભવિત જ નથી. દશમે માળે જવા માટે નવ માળોમાંથી પસાર તો થવું જ પડે ને? એના વિના દશમે માળે શી રીતે જઈ શકાય ?
ઉત્તરપક્ષ :- આવી શંકા કરવી ઉચિત નથી. કારણ કે તે તે ક્રિયા તેના ઉત્તરદેશના સંયોગનો હેતું હોવાથી વિરોધ નથી. તથા સ્વભાવથી સિદ્ધિગમનસમયે એવી જ ક્રિયા થશે, કે જે