________________
६७
अस्पृशद्गतिवादः પહોંચી જાય છે. આ જ રીતે નીચે પણ
સમજવું. દંડકરણમાં એક જ સમય લાગે છે. માટે જે આત્મપ્રદેશોએ એક આકાશપ્રદેશ જેટલી જ ગતિ કરી છે, તેમની સિવાયના બધા આત્મપ્રદેશોની અસ્પૃશદ્ગતિ જ છે. કારણ કે જે આત્મપ્રદેશ માત્ર ૧ આકાશપ્રદેશ ઓળંગીને એકાંતરિત આકાશપ્રદેશે પહોંચ્યો છે, તેનાથી માંડીને લોકાંતે પહોચેલા આકાશ-પ્રદેશોએ વચ્ચેના કોઈપણ પ્રદેશોની સ્પર્શન કર્યા વિના જ ગતિ કરી છે. જો તેઓ વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શના કરીને જાય તો પોતાના પ્રાપ્તવ્ય સ્થાને એક સમયમાં પહોચી જ ન શકે. આ જ રીતે, કપાટ, મંથાન, લોકવ્યાપન વગેરે પ્રક્રિયામાં પણ સમજવું જોઈએ. આ પ્રક્રિયાઓ પણ એક-એક સમયની જ છે અને તેમાં અસ્પૃશદ્ગતિ થાય જ છે.
આ અસ્પૃશદ્ગતિ પણ આપેક્ષિક અસ્પૃશગતિથી વિલક્ષણ છે અને તેની એ વિલક્ષણતાના કારણ તરીકે તેની અચિત્યશક્તિ જ ઘટી શકે છે.