________________
५९
अस्पृशद्गतिवादः चाऽचिन्त्यशक्तिकत्वमेवप्रत्युपदिशति 'हरीतकीमात्र
–અસ્પર્શોપનિષ– વિપ્રતિપત્તિના પ્રદર્શક બની જાય, એવી આપત્તિ આવશે. માટે નાના બાળકના ચેડાઓનું વધુ ખંડન કરીને શું ફાયદો છે ? એટલે કે તમે જે રીતે પ્રસ્તુતમાં વિપ્રતિપત્તિની સિદ્ધિ કરવા પ્રયત્ન કરો છો એ વિદ્વાનોની દૃષ્ટિમાં સાવ બાલિશ ચેષ્ટા છે. એનું ખંડન કરવાની પણ જરૂર નથી.
કોઈ તો અત્યંત સાહસિક છે. “જીવ જેટલી અવગાહનામાં અહીં રહેતો હતો, એટલી જ અવગાહનાથી લોકાગ્ર સુધીના પ્રદેશોનો સ્પર્શ કરે. સિદ્ધિગમન સમયે અચિત્યશક્તિથી આવી સ્પર્શતી ગતિ થાય છે.” એવી કલ્પના તે કરે છે. એને કોઈ પૂછે કે, “ભાઈ ! આવું તો શી રીતે બને ? પોતે જેટલી અવગાહનામાં રહ્યો હોય, એ તો કેટલી નાની હોય. એનાથી લોકાગ્ર સુધીના પ્રદેશોને શી રીતે સ્પર્શી શકાય ?” તો એ એના જવાબમાં એમ જ કહે કે “એ ગતિમાં આવી અચિન્ય શક્તિ છે, માટે આવું સંભવે છે.” આમ એ “અચિજ્યનો ઝંડો લઈને મનઘટિત કલ્પના કરે છે. જેમ કોઈ