Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧] છ પ્રકારની વસ્તુ સર્વશે પોતાના જ્ઞાનમાં જોયેલ છે. તેમાં આત્મા તે સર્વ પરદ્રવ્યથી જુદો છે. શરીર, મન, વાણી, કર્મ વગેરે વસ્તુ છે, પણ આત્મા તેનાથી જુદો છે; જાદો ન હોય તો છ વસ્તુ રહેતી નથી. શરીરાદિથી આત્મા જુદો છે-તે નાસ્તિથી વર્ણન કર્યું.
હવે અસ્તિથી કેવો છે તેનું વર્ણન કરે છે. તેનો જ્ઞાનાનંદમય સ્વભાવ સહજ છે, અનાદિનો છે, કોઈથી ઘડાયેલો નથી. છ દ્રવ્યો સહજ છે પણ આત્મા કેવો સહજ છે? તે સહજસ્વભાવરૂપ સચ્ચિદાનંદ છે. સ=અસ્તિ, ચિ=જ્ઞાન, પોતે જ્ઞાન ને આનંદવાળો છે. વળી અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે અનંતા ગુણવાળો છે. સંસારમાં શરીર નિમિત્તરૂપે હો, પર્યાયમાં વિકાર હો પણ સ્વભાવ તો જ્ઞાન ને આનંદવાળો છે. વળી આત્મા અનંત ગુણમય છે, અમૃતરસનો પિંડ છે, પર્યાયમાં વિકારને ગૌણ કરી અહીં વાત કરે છે.
હવે પર્યાયની વાત કરે છે. આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં અનાદિથી કર્મનો સંયોગ છે. કર્મ આદિ પરદ્રવ્યથી ભિન્ન છે. પણ તેના નિમિત્તે પોતાની દશામાં અશુદ્ધતા છે. અશુદ્ધતા ન હોય તો સંસાર ન હોય. આમ હોવાથી અજ્ઞાની અનાદિથી પર પદમાં પોતાનું સ્વરૂપ માને છે. વિકાર, દયા, દાનાદિ પરિણામ તથા શરીરાદિ પરધામ છે, છતાં તેને પોતાનાં માની પરભાવ કર્યા કરે છે. કર્મ પરભાવ કરાવતું નથી, પણ પોતે પરને પોતાનું માની પરભાવ કરે છે.
અનાદિથી જીવ પરને તથા વિકારને પોતાનાં માને છે. વિકાર એક સમયનો હોવા છતાં તેને પોતાનું ત્રિકાળી સ્વરૂપ માને તો તેમાંથી દષ્ટિ કેવી રીતે ઉઠાવે ? ન જ ઉઠાવે. આમ રાગની રુચિ વડે શુભાશુભ લાગણીઓ કર્યા કરે છે ને જન્મનાં, વૃદ્ધાવસ્થાનાં, મરણ વગેરેનાં દુ:ખ સહન કરે છે.
આ દુઃખની પરિપાટીનું કારણ કહે છે. ભગવાન આત્મા અનંતા ગુણોનો પિંડ હોવા છતાં પરને પોતાનાં માની કર્મના નિમિત્તે પરભાવ કરી દુઃખ સહન કરે છે. પોતાના અશુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com