Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्री सिद्धेभ्यः नमः अनेकान्तायः
શ્રી અનુભવ પ્રકાશ [ માગશર વદ ૬, રવિ ૭-૧૨-૧ર ]
પ્ર. - ૧ આ અનુભવ પ્રકાશ ગ્રંથ છે, આત્માના આનંદનો પ્રકાશ આ ગ્રંથમાં કર્યો છે. આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે, તેનો અનુભવ જે રીતથી થાય તે વાત આમાં કરી છે. પ્રથમ “ૐ નમ: સિદ્ધભ્ય:” લખી ગ્રંથની શરૂઆત કરી છે. ૐ એ તીર્થકર ભગવાનનો નિરક્ષરી ધ્વનિ છે, જે દ્વારા આત્માના સ્વરૂપનો ખ્યાલ આવે છે. સ્વભાવમાં પૂર્ણ શક્તિ હતી તેને જેમણે પ્રગટ કરી, વળી જેમણે અશરીરી દશા પ્રગટ કરી ને જેઓ અનંત આનંદનો અનુભવ કરે છે તે સિદ્ધ છે. તેમને નમસ્કાર કરી મંગલ કરે છે.
- દોહણ – ગુણ અનંતમય પરમપદ, શ્રી જિનવર ભગવાન; શેય લક્ષ્ય છે જ્ઞાનમાં, અચલ સદા નિજસ્થાન.
મંગલમાં સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે. સિદ્ધ અનંત ગુણમય છે, શ્રીસ્વરૂપલક્ષ્મી વીતરાગભાવે પ્રધાનપદ પામી પ્રધાન થયા તે જિનેશ્વર ભગવાન છે. ભગવાનના જ્ઞાનમાં બધાં શેયો વર્તે છે, કોઈ બાકી નથી, છતાં પોતે અસંખ્ય પ્રદેશમાં રહીને બધાને જાણે છે.
ભગવાન તે દ્રવ્ય છે તથા અનંત ગુણોનો ભંડાર છે એમ કહી ભાવ બતાવ્યા, ને તેની એક સમયની પર્યાયમાં લોકાલોકને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com