Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧/૬/ર/૧૯૪ અધ્યયન-૬ ઉદ્દેશો-૨ “કર્મવિધૂનન' ક ૦ ઉદ્દેશો-૧-કલો હવે બીજે કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં સગાનો મોહ છોડવાનું કહ્યું. જો કર્મનું વિધૂનન થાય તો તે સફળ થાય, તેથી કર્મના વિધૂનન માટે આ ઉદ્દેશો કહે છે • x - • સૂત્ર-૧૯૪ - કેટલાંક વસુ (સાધુ) કે અનુવસુ (શ્રાવક આ સંસારને દુઃખમય જાણી, વસંયોગોને છોડીન, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરીને અમને યથાર્થરૂપે જાણીને પણ કેટલાંક કુશીલો ધર્મપાલન કરતા નથી. - વિવેચન : લોક એટલે માતા, પિતા, પુત્રાદિ સ્નેહ સંબંધનો વિયોગ થતા કે તેમનું કંઈ બગડતા પીડાય છે અથવા સંસારી જીવ કામરાગથી પીડાય છે. તેને જ્ઞાન વડે ગ્રહણ કરીને તથા માતાપિતાદિ સંબંધ છોડીને, ઉપશમ પામી, બ્રાહ્મચર્યમાં વસીને તે દ્રવ્યવાળો અથ િકપાયરૂપ કાળાશ દૂર કરી પોતે વીતરાગ બને છે, તેથી ઉલટો સરામ બને છે અથવા વસુ એટલે સાધુ અને અનુવસુ તે શ્રાવક છે. કહ્યું છે કે, વીતરાગ તે જિન કે સંયત હોય તેને વસુ જાણવા અને વૃદ્ધ કે શ્રાવકને અનુવસુ જાણવા. - તથા શ્રુત-ચારિત્ર ધર્મ જાણીને, સ્વીકારીને કેટલાંક જીવો મોહોદયથી તેવી ભવિતવ્યતાના યોગે તેવા ધર્મને પાળવા શક્તિમાન થતા નથી. તેઓ કુશીલ છે, ધર્મપાલનમાં અશક્ત હોવાથી તે કુશીલ છે. તેઓ શું કરે છે ? • સૂત્ર-૧૯૫ - તે વસ, પબ, કંબલ શેહરણ છોડી અનુક્રમે આવતા દુસહ પરીષહોને સહી ન શકવાથી કામભોગમાં મમત્વ કરે છે પણ થોડા જ સમયમાં આ ક્ષણભંગુર શરીરનો ત્યાગ થાય છે. આ પ્રકારે છે અનેક વિદનો અને હૃદ્ધો કે અપૂર્ણતાથી યુકત કામભોગોથી અતૃપ્ત જ રહે છે. • વિવેચન : કરોડો ભવે પણ દુષ્પાય માનવજન્મ પામીને અપૂર્વ, સંસાર સમુદ્રથી પાર ઉતસ્વા સમર્થ બોધિ મેળવીને મોક્ષવૃક્ષાબીજ સમાન સર્વવિરતિ લક્ષણ રાત્રિ સ્વીકારી ફરી દુર્નિવાર્ય કામથી, મન ઢીલું થતાં ઇન્દ્રિય લાલસારી મોહનીય કર્મ ઉદયથી, અશુભ વેદનીય પ્રગટ થવાથી • x• ભાવિ હિતને અવગણીને કાયકાર્યને વિચાર્યા વિના મા દુ:ખનો સાગર સ્વીકારી - x • કુલ કમાચાર ત્યજીને ચા િછોડે છે. તે ત્યાગ ધમપકરણ છોડવાથી થાય છે તે બતાવે છે વસ્ત્ર, પાત્ર, કેબલ, પાત્ર નિયોગ, જોહરણને બેદરકારીથી ત્યજીને કોઈ દેશવિરતિ સ્વીકારે છે, કોઈ સભ્યદર્શન રાખે છે, કોઈ તેનાથી પણ ભ્રષ્ટ થાય છે. આવું દુર્લભ ચાત્રિ પામીને કેમ તને ? દુસહ પરીષહોને સહન ન કરી શકવાની, મોહતા પરવશાપણાથી દુર્ગતિને આગળ કરી મોક્ષમાર્ગને તજે છે. ભોગ માટે ત્યાગ કરવા છતાં પાપતા ઉદયથી શું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર થાય ? તે કહે છે વિરૂપ કામોને વહાલા માની સ્વીકારતો, ભોગના અધ્યવસાયવાળો બનવા છતાં અંતરાયકર્મોદયથી તક્ષણ પ્રવજ્યા મૂક્યા પછી કે ભોગ પ્રાપ્તિ પછી અંતર્મમાં કે અહોરાકમાં અપરિણામથી શરીર ભેદાય છે. એ રીતે આત્મા અને શરીરનો ભેદ થાય છે, અનંતકાળે પણ પંચેન્દ્રિય પ્રાપ્ત થતું નથી. આ વિષયનો ઉપસંહાર કરતા કહે છે- આ રીતે તે ભોગાભિલાષી અનેક વિદનોવાળા અંતરાયવાળા કામ ભોગોને ચાહે છે, તે ભોગો આકેવલિક કે અસંપૂર્ણ છે. જેને મેળવવા પાછા સંસારમાં પડે છે અથવા • x• કામભોગો વડે અતૃપ્ત બનીને જ શરીરનો નાશ કરે છે, જયારે બીજા નીકટ મોક્ષગામી, ચારુિ પરિણામી લધુકર્મના કારણથી વધતા જતા ભાવવાળા બને છે. તે કહે છે • સૂત્ર-૧૯૬ + કેટલાંક લોકો ધર્મ પ્રાપ્ત કરીને ધમોંપગરણથી યુકત થઈને સવજ્ઞ કથિત ધર્મ આચરે છે. લીધેલ પ્રતિજ્ઞામાં ઢ રહે છે. સર્વ આસકિતને દુ:ખમય પણી તેનાથી દૂર રહે તે જ મહામુનિ છે. તે સર્વે પ્રપંચોને છોડી “મણે કોઈ નથી - હું એકલો છું” એમ વિચારી વિરd થઈ, યતના કરતો અણગાર સર્વ પ્રકારે મુંડિત થઈ વિચરે, અલક થઈ, સંયમમાં ઉધત બની, ઉણોદરી કરે, કોઈ તેની નિંદા કરે, પ્રહાર કરે, વાળ ખેંચે, પૂર્વે કરેલ કોઈ દુષ્કર્મ યાદ કરાવી અસભ્ય રાધે બોd, dષારોપણ કરે ત્યારે મુનિ સમ્યક ચિંતન દ્વારા સમભાવે. સહન કરે. અનુકૂળ-પ્રતિકૂળ, મનોહારી-અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે, • વિવેચન : ઉક્ત વિશુદ્ધ પરિણામથી નીકટ મોગામીવાથી સાધુએ શ્રુત ચારિત્રરૂપ ધર્મ પામીને વસ્ત્ર, પાસાદિ ધર્મોપકરણ સ્વીકારીને ધર્મકરણીમાં પ્રષિહિત બની પરિયો સહત કરી સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મને પાળે અહીં પૂવત પ્રમાદનાં સૂત્રો અપમાદના અભિપ્રાયથી કહેવા. * * * * તે સાધુઓ કેવા થઈને ધમચરણ કરે તે કહે છે કામભોગો કે માતાપિતાદિમાં મોહ ન કરે, તપ સંયમાદિ ધર્મ ચરણમાં દૃઢ બની ધર્મ આચરે, વળી બધી ભોગાકાંક્ષાને જ્ઞ પરિજ્ઞા વડે ાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. એ કામપિપાસાનો પરિત્યાગી પ્રકર્ષથી નમેલો સંયમ કે કર્મ ધોવામાં લીન મહામતિ બને છે, બીજા કોઇ બનતા નથી. વળી સર્વે પ્રકારે પુત્ર-પનીના સંબંધ કે કામાતુસંગ ઉલ્લંઘી શું ભાવના ભાવે ? તે કહે છે આ સંસારમાં પડતા મારે આલંબનરૂપ કોઈ નથી, સંસારમાં હું એકલો છું, હું કોઈનો નથી. આ ભાવના ભાવનારો આ જિન પ્રવચનમાં સાવધ અનુષ્ઠાન ત્યાગી દશવિધ સાધુ સામાચારીમાં યનવાળો થાય. તેવો કોણ થાય ? આણગાર. તે એકવભાવના ભાવતો ઉણોદરી તપ કરે • x •. વળી તે દ્રવ્ય-ભાવથી મુંડ બનીને સંયમાનુષ્ઠાનમાં વર્તે. કેવો બનેલો? તે કહે છે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120