Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 308
________________ ગોશાલક કથા ૩૦૭ તારા અપરાધને સમ્યક્ પ્રકારે સહન કર્યો હતો. ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને તારા અપરાધને અધ્યાસિત અર્થાત સહન કર્યો હતો શ્રમણ ભગવંત મહાવીરે પણ સમર્થ હોવા છતાં તારા અપરાધને સમ્યક્ પ્રકારે સહન કર્યો હતો, ક્ષમા કરી હતી, તિતિક્ષા કરી હતી અને તે અપરાધને અધ્યાસિત અર્થાત્ સહન કર્યો હતો. પરંતુ (હે રાજન્ !) હું તે પ્રકારે તારા અપરાધને સહન પણ નહીં કરું, મા પણ નહીં કરું, તિતિક્ષા પણ નહીં કરું અને અધ્યાસિત પણ કરીશ નહીં. હું તો તને મારા તપ અને તેજ વડે તારા અશ્વ, રથ અને સારથી સહિત એક જ પ્રહારમાં કૂટાઘાતની જેમ ભસ્મરાશિરાખનો ઢગલો કરી દઈશ. ત્યારે તે વિમલવાહન રાજા સુમંગલ અણગારના આ કથનને સાંભળીને ક્રોધાયમાન, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવાતું રૌદ્ર થઈને દાંતોને કચકચાવતો એવો સુમંગલ અણગારને રથના અગ્ર ભાગ વડે ટક્કર મારીને ત્રીજી વખત પણ નીચે પાડી દેશે. ૦ સુમંગલ મુનિના તેજ દ્વારા વિમલવાહનનું મરણ : ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજા દ્વારા ત્રીજી વખત રથના અગ્રભાગની ટક્કરથી નીચે પાડી દેવાયા ત્યારે ક્રોધાભિભૂત થઈને, કોપાયમાન અને રોષાયમાન થઈને, ચંડિકાવતું રૌદ્રરૂપ ધારણ કરીને, દાંતોને કચકચાવતા એવા આતાપના ભૂમિથી નીચે ઉતરશે, નીચે ઉતરીને તૈજસ્ સમુદઘાત કરશે, તૈજસ્ સમુદઘાત કરીને સાત-આઠ કદમ પાછળ ખસશે. પાછળ ખસીને ઘોડા–રથ અને સારથી સહિત વિમલવાહન રાજાને એક જ પ્રહારમાં કૂટાઘાતની માફક રાખનો ઢગલો કરી દેશે. ૦ સુમંગલ મુનિની ગતિ : હે ભગવંત ! સુમંગલ અણગાર, વિમલવાહન રાજાને અશ્વ, રથ અને સારથી સહિત રાખનો ઢેર બનાવીને ક્યાં જશે? (કઈ ગતિમાં જશે ?), ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! વિમલવાહન રાજાને ઘોડા, રથ અને સારથી સહિત ભસ્મરાશિ કરીને સુમંગલ અણગાર ઘણા બધાં છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિ વિચિત્ર પ્રકારના તપોકર્મ વડે પોતાના આત્માને ભાવિત કરતા એવા અનેક વર્ષો પર્યત શ્રમણ પર્યાયનું પાલન કરશે, પાલન કરીને એક મહિનાની સંખના દ્વારા આત્માને વિશુદ્ધ કરીને, અનશન દ્વારા સાઇઠ ભોજનનો છેદ કરીને અર્થાત્ માસિક સંલેખના કરીને આલોચના પ્રતિક્રમણ પૂર્વક સમાધિ ભાવે કાળ કરશે. કાળધર્મ પામ્યા પછી ઊંચે ચંદ્ર અને સૂર્ય વિમાનથી પણ ઉપર, સૌધર્મ-ઇશાન કલ્પથી પણ ઉપર – યાવત્ – આરણ અને અય્યત કલ્પથી પણ ઉપર, નવે નવ રૈવેયક વિમાનોનું પણ ઉલ્લંઘન કરીને પાંચમાં અનુત્તર એવા સર્વાથસિદ્ધ વિમાનમાં દેવરૂપથી ત્યાં ઉત્પન્ન થશે. (દેવ થશે). ત્યાં દેવોની અજઘન્ય–અનુત્કૃષ્ટ એવી તેત્રીશ સાગરોપમ સ્થિતિ કહેવામાં આવી છે. તે સુમંગલદેવની પણ અજઘન્ય–અનુત્કૃષ્ટ એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ થશે. હે ભગવન્! તે સુમંગલ દેવ દેવ ભવના આયુનો ક્ષય, ભવનો ક્ષય, સ્થિતિનો ક્ષય થયા પછી અનન્તર તે દેવલોકથી ઐવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370