Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 306
________________ ગોશાલક કથા ૩૦૫ નાખશે અને નષ્ટ કરી નાખશે. કોઈનું અપહરણ કરશે. ઘણાં બધાંના આહાર–પાણીનો વિચ્છેદ કરશે અને ઘણાં બધાં શ્રમણોને નગર તથા દેશની બહાર કાઢી મૂકશે. તે સમયે શતધાર નગરના ઘણાં બધાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ પરસ્પર એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે- હે દેવાનુપ્રિયો ! વિમલવાહન રાજા શ્રમણ નિર્ચન્હો પરત્વે મિથ્યા આચરણ, અનાર્યપણાનો સ્વીકાર કરેલો છે – યાવત્ – કેટલાયે શ્રમણો પ્રતિ આક્રોશ કરે છે, કોઈ પરત્વે હાંસી કરે છે, કોઈ—કોઈને એકબીજાથી અલગ કરે છે, કેટલાયની ભર્લ્સના કરે છે, કોઈને બાંધે છે, કોઈને ઉપદ્રાવિત કરે છે, કોઈ—કોઈના પાત્ર તોડી–ફોડી નાંખે છે, કોઈ– કોઈના વસ્ત્ર અને કંબલાદિ નષ્ટ કરી નાંખે છે, કોઈનું અપહરણ કરી રહ્યો છે – યાવત્ -- કેટલાંયે શ્રમણોને તેણે દેશ કે નગરમાંથી નિકાલ કરેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! એ આપણા માટે શ્રેયસ્કર નથી અને વિમલવાહન રાજાને માટે પણ શ્રેયસ્કર નથી. તથા આ રાજ્ય, રાષ્ટ્રબળ, વાહન, પૂર, અંતઃપુર તથા દેશને માટે પણ શ્રેયસ્કર નથી કે જે આપણા વિમલવાહન રાજા શ્રમણ નિર્ચન્હો પરત્વે અનાર્યપણાનો વ્યવહાર કરે. તેથી હે દેવાનુપ્રિયો ! આ વિષયમાં વિમલવાહન રાજાને આપણે નિવેદન કરવું ઉચિત છે. આ પ્રમાણે પરસ્પર એકબીજાના નિશ્ચયનો તેઓ સ્વીકાર કરશે, સ્વીકાર કરીને જ્યાં વિમલવાહન રાજા હશે ત્યાં પહોંચશે, પહોંચીને બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી, દશ નખ ભેગા કરી, આવર્તપૂર્વક મસ્તકે બે હાથ જોડીને જય-વિજય શબ્દના ઘોષ વડે વિમલવાહન રાજાને વધાવશે. વધાવીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિય ! શ્રમણ નિર્ચન્હો પરત્વે આપ જે અનાર્યપણાથી મિથ્યા–આચરણ કરી રહ્યા છો, તેમાંના કેટલાંક પર આક્રોશ કરો છો, કોઈ શ્રમણો પરત્વે હાંસી કરી રહ્યા છો – યાવત્ – કોઈ કોઈને આપ નગર કે દેશની બહાર કાઢી રહ્યા છો, તો હે દેવાનુપ્રિય! એ કાર્ય આપને માટે શ્રેયસ્કર નથી, અમારા માટે પણ શ્રેયસ્કર નથી તથા આ રાજ્ય, રાષ્ટ્રબળ, વાહન, પુર, અંતઃપુર તથા દેશને માટે પણ શ્રેયસ્કર નથી કે જે આપ શ્રમણ નિગ્રંથો પરત્વે આવું અનાર્યત્વ, મિથ્યા આચરણ કરી રહ્યા છો, તેથી હે દેવાનુપ્રિય ! તમે તમારા આ દૂરાચરણને બંધ કરો, આ દુષ્ટ પ્રવૃત્તિથી અટકો. ત્યારે તે વિમલવાહન રાજા તે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિના આ નિવેદનને સાંભળીને “ધર્મ નથી", “તપ નથી” એવી બુદ્ધિવાળો હોવા છતાં પણ મિથ્યા વિનય બતાવીને તેઓના નિવેદનનો ખોટેખોટો સ્વીકાર કરી લેશે. ૦ વિમલવાહને સુમંગલ અણગારને કરેલ ઉપસર્ગ : તે શતદ્વાર નગરની બહાર ઇશાન ખૂણામાં સુભૂમિભાગ નામનું એક ઉદ્યાન હશે. જે સર્વ ઋતુઓના ફળ અને ફૂલોથી સમૃદ્ધ હશે ઇત્યાદિ વર્ણન કરી લેવું. તે કાળ અને તે સમયમાં વિમલ અરિહંતના પ્રપૌત્ર સુમંગલ નામના જાતિ સંપન્ન અણગાર થશે. (અહીં વૃત્તિકાર મહર્ષિ અભયદેવ સૂરિજી જણાવે છે કે, સમવાયાંગમાં ઉત્સર્પિણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370