Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 352
________________ પ્રત્યેકબુદ્ધ – વલ્કલચિરિ કથા કરો. તે લઈને અનુક્રમે ત્રણે જણ પોતનપુર પહોંચ્યા. ત્યાં પહોંચીને તે રથિકપુરુષ વલ્કલચીરીને કહ્યું, હે બાળમુનિ ! લ્યો, આ ધન ગ્રહણ કરો. અહીં ધન વગર તમને ભોજન કે સ્થાન મળશે નહીં. એમ કહી કેટલુંક ધન આપી તેણે વલ્કલચીરીને વિસર્જિત કર્યો, પોતે પણ ત્યાંથી આગળ ચાલ્યો. ત્યાંથી વલ્કલચીરી નગરમાં ચાલ્યો. ત્યાં દુકાનોની શ્રેણી અને હવેલીઓ જોઈ વિચાર કરવા લાગ્યો કે, હું આ ક્યાં આવ્યો ? આ આવું બધું શું હશે ? વળી માર્ગમાં જે કોઈ નર કે નારી મળે તો તેને હે તાત ! હું વંદન કરું છું' એમ કહેવા લાગ્યો. લોકો તેની આવી ચેષ્ટા જોઈને હસવા લાગ્યા. એ પ્રમાણે ભમતો ભમતો તે કોઈ ગણિકાના ઘેર જઈ ચડ્યો. તે ગણિકાને જોઈને બોલ્યો કે, હે તાત ! હું તમને વંદન કરું છું. ત્યાર પછી તેને પણ મુનિ છે તેવું સમજીને વલ્કલચીરીએ તેને મૂલ્ય આપીને નિવાસ તથા ફળાદિકને માટે યાચના કરી, ગણિકાએ તેને નિવાસ અને ભોજનાદિ આપ્યા. ૩૫૧ ત્યારપછી તે ગણિકાએ વાણંદને બોલાવ્યો. બોલાવીને વલ્કલચીરીની ઇચ્છા ન હોવા છતાં તેના નખનું પરિકર્મ કરાવ્યું, (નખ કપાવ્યા), ક્ષૌર કર્મ કર્યું (વાળ આદિ કાપીને સુશોભિત કર્યા), તેના વલ્કલ ઉતરાવ્યા. અત્યંતર સ્નાન કરાવ્યું. તે સર્વે વસ્તુને બાલતાપસે ઉપસર્ગ માનીને સહન કર્યા. ત્યાર પછી તેણે વલ્કલચીરીને વસ્ત્ર–આભુષણ આદિથી વિભુષિત કર્યો. પછી તે ગણિકાએ તેની સાથે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. જ્યારે તેનો ઋષિવેશ ઉતારતા હતા ત્યારે તે તાપસને બબડતો જોઈને ગણિકાએ કહેલું કે, જે કોઈ મહેમાન અહીં આવે, તેનો અમે આ રીતે જ ઉપચાર કરીએ છીએ. ત્યાર પછી સોમચંદ્રઋષિના પુત્ર બાળતાપસ વલ્કલચીરીની ફરતી તે બધી ગણિકાઓ ગીતો ગાવા લાગી, નૃત્ય કરવા લાગી, વાદ્યો વગાડવા લાગી, તે બધું જોતા અને સાંભળતા વલ્કલચીરી ચિંતવન કરવા લાગ્યો કે, આ બધાં શું બોલી રહ્યા છે ? કંઈ મને સમજ પડતી નથી. તેઓ મને ફળ કેમ આપતા નથી ? તે વખતે જેઓને ઋષિવેશ ધારણ કરી આશ્રમમાં કુમારને લોભાવવાના નિમિત્તે મોકલવામાં આવેલા, તે લોકો આવીને રાજા પ્રસન્નચંદ્રને કહેવા લાગ્યા કે, હે સ્વામી ! કુમાર વનમાંથી નીકળી ગયા છે. અમે પણ સોમચંદ્ર ઋષિના ભયથી કુમારને બોલાવ્યા નહીં. તે સાંભળીને રાજા વિષાદગ્રસ્ત મનવાળો થઈ ગયો. તેમણે તે લોકોને કહ્યું કે, ખરેખર ! મારાથી આ અકાર્ય થઈ ગયું. મારો નાનો ભાઈ ન પિતા સમીપે રહ્યો કે ન તે મારી પાસે અહીં આવ્યો. ખબર નથી પડતી કે હવે તેની પ્રાપ્તિ થશે કે નહીં થશે ? ચિંતાગ્રસ્ત થઈને પ્રસન્નચંદ્ર રાજા સ્થિતપ્રજ્ઞ થઈ ગયો. એટલામાં રાજાને તે ગણિકાના ઘેરથી મૃદંગનો અવાજ સાંભળવામાં આવ્યો. તેથી તત્કાળ તે ગણિકાને બોલાવીને રાજાએ તેણીને પૂછયું કે, હું દુઃખી છું, શોકગ્રસ્ત છું, નગરમાં મેં ગીતવાદ્ય આદિ સર્વે બંધ કરાવેલ છે, છતાં તારે ઘેર વાદ્ય કેમ વગાડે છે? ગણિકા આવીને રાજાના પગમાં પડી ગઈ. રાજા પ્રસન્નચંદ્રને વિનવણી કરવા લાગી. હે રાજન્ ! મને માફ કરો. મને એક દૈવજ્ઞ—નિમિત્તકે કહેલું હતું કે, જ્યારે કોઈ તાપસરૂપે તરુણ તારે ઘેર આવે ત્યારે તું તેને જ તારી પુત્રી પરણાવી દેજે. તે ખૂબ જ ઉત્તમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370