Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 349
________________ આગમ કથાનુયોગ-૨ (નોંધ :- પ્રત્યેક બુદ્ધના કથાનકોમાં બે મુખ્ય સંદર્ભો નોંધેલ છે. પહેલાં ઉત્તરાધ્યયન સૂત્ર આધારિત અને લોકપ્રસિદ્ધ એવા કરકંડૂ આદિ ચાર પ્રત્યેક બુદ્ધોની કથાઓ અને પછી ઋષિભાષિત પયત્રા સૂત્ર આધારિત અન્યતીર્થિક આદિ પિસ્તાળીશ પ્રત્યેકબુદ્ધોના નામનિર્દેશો. પણ તે ઓગણ પચાશ પ્રત્યેકબુદ્ધો સિવાય પણ બીજા પ્રત્યેકબુદ્ધોના કથાનકો આગમ શાસ્ત્રોના પૃષ્ઠો પર અંકિત થયેલા દૃષ્ટિગોચર થાય જ છે. જેમાંનું એક કથાનક ધર્મરુચિનું આ પૂર્વે નોંધેલ છે. તેવા જ બીજા અન્યતીર્થિક રુદ્રક પ્રત્યેકબુદ્ધનું કથાનક અહીં નોંધ્યું. જે ઉક્ત પ્રત્યેકબુદ્ધોથી અતિરિક્ત કથા જ છે.) ૩૪૮ . પ્રત્યેકબુદ્ધ વલ્કલચિરિ કથા : પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી (પત્ની) હતી. કોઈ વખતે ધારિણી રાણી પોતાના પતિના માથાના વાળ કાંસકી વડે ઓળતી હતી. તે વખતે મસ્તક પર શ્વેત કેશ તેણીના જોવામાં આવ્યો. તે જોઈને ધારિણી રાણી બોલી કે, હે સ્વામી ! જુઓ, આ જરાવસ્થાનો દૂત આવ્યો. અર્થાત્ હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ. રાજા પોતાને મસ્તકે આવેલ ધોળો વાળ જોઈને વિચારવા લાગ્યા કે, મારા (વૃદ્ધ) વડિલોએ તો યૌવન વયમાં વ્રતને ગ્રહણ કરેલ હતું અર્થાત્ સંન્યાસી થયા હતા. મને ધિક્કાર છે કે, હું અદ્યાપિ માથે પળીયા આવ્યા (વાળ ધોળા થવા શરૂ થઈ ગયા) તો પણ ધર્મને આચરતો નથી. — * - * —— ત્યારે સોમચંદ્ર રાજાએ રાણીને કહ્યું કે, હે દેવી ! તારા ચક્ષુ ખરેખર દિવ્ય છે કે તે પળીયા (ધોળો વાળ) જોયા. ખરેખર, આ તો ધર્મદૂત છે. તે મને ધર્મ માર્ગે વાળવા માટે આવેલો છે. તે જોઈને રાજા મનથી દૂણાયો (દુભાયો). તે જાણીને ધારિણી દેવીએ રાજાને કહ્યું કે, હે સ્વામી ! શું તમે વૃદ્ધભાવથી લજ્જા પામો છો ? તો તેનું નિવારણ કરીએ. ત્યારે સોમચંદ્ર રાજાએ ધારિણી રાણીને કહ્યું, હે દેવી ! એ વાત બરાબર નથી. હું માનું છું કે, આપણો કુમાર બાળક છે પ્રજાના પાલન માટે તે અસમર્થ છે. આવી માન્યતાથી હું આજ સુધી પૂર્વ પુરુષોએ આચરેલ માર્ગે ગયો નહીં. આ વાત સાંભળીને ધારિણીએ કહ્યું કે, હે સ્વામી ! હજી પણ ધર્મકાર્યમાં વિલંબ કરો નહીં. ત્યારે સોમચંદ્ર રાજાએ તેણીને કહ્યું, દેવી ! તમે પ્રસન્નચંદ્રનું સંરક્ષણ કરતા સારી રીતે રહો. પરંતુ રાણી પણ સંસારમાં રહેવા ઇચ્છતી ન હતી. ત્યારે રાજા સોમચંદ્રએ પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને રાજ્યનો ભાર સોંપ્યો. દિશાપ્રોક્ષિક તાપસ નામની પ્રવ્રજ્યા ગ્રહણ કરી તેઓ તાપસ થઈ ગયા. દીર્ઘકાળથી શૂન્ય એવા આશ્રમે જઈ રહ્યા. તે સમયે ધારિણી દેવી ગર્ભવતી હતા, તો પણ એક ધાત્રીને સાથે લઈને પોતાના પતિ (સોમચંદ્ર રાજા) સાથ તે ચાલી નીકળી. પૂર્વથી સાથે લાવેલ તેણીનો ગર્ભ ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યો. પ્રસન્નચંદ્ર રાજાના ચાર પુરુષોએ આ વાતનું રાજા પાસે જઈને નિવેદન કર્યું. કાળક્રમે ગર્ભનો સમય પૂર્ણ થતા ધારિણી રાણીએ એક નિરોગી એવા સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તે કુમારને વલ્કલમાં સ્થાપેલો હોવાથી તે બાળકનું વલ્કલચીરિ નામ સ્થાપન કર્યું. પ્રસવની તીવ્ર વેદનાને કારણે ધારિણી દેવી મૃત્યુ પામ્યા. હવે સોમચંદ્ર તાપસને ચિંતા થવા લાગી કે, માતા વિનાનો આ પુત્ર મારે કઈ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370