Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 323
________________ ૩૨૨ આગમ કથાનુયોગ-૨ પાડીને પૃથ્વી પર નાંખી દીધો. બીજે દિવસે તે કાષ્ઠતંભ ભૂમિ ઉપર પડેલો હતો, તે વિષ્ટા અને મૂત્રથી લેપાયેલો હતો. અશુચિસ્થાનના ગૃહ જેવો થઈ ગયો હતો. તેના પર બાળકો ક્રીડા કરી રહ્યા હતા. આવો ઇન્દ્રસ્તંભ જે ફક્ત કાષ્ઠરૂપ બની ગયેલો હતો તે નગરચર્યા માટે નીકળેલ પ્રિમુખ રાજાના જોવામાં આવ્યો. તે જોઈને વૈરાગ્ય પામેલા રાજાને વિચાર આવ્યો કે, “જે મહાધ્વજવાળો ઇન્દ્રસ્તંભ ગઈ કાલ સુધી સર્વ લોકોથી પૂજાતો હતો તે જ સ્તંભ આજે મહા વિડંબનાને પામી રહ્યો છે. લક્ષ્મીની શોભા પણ ક્ષણભંગુર જ છે. જે સંપત્તિ નદીના પૂરની જેમ અથવા સમુદ્રની ભરતીની જેમ જલદી આવે છે અને જલ્દી જાય છે. તે પાંસલી સ્ત્રીના જેવી સંપત્તિ ઉપર કોણ આસક્તિ કરે ?” તેથી પ્રાયઃ વિડંબના ભૂત એવી આ રાજ્ય સંપદાને તજીને મુક્તિને આપનારી સમતારૂપ સામ્રાજ્ય સંપદાનો આશ્રય કરવો એ જ મારે માટે શ્રેયસ્કર છે. એમ વિચારી જેનો મમતારૂપી અગ્નિ શાંત થઈ ગયો છે એવા તે વિમુખ રાજાએ તે જ વખતે પોતાના કેશનો લોચ કરીને દેવતાએ આપેલ મુનિવેષ ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કર્યું. આ રીતે પાંચાલ જનપદના કાંપિલ્ય નગરમાં (મુખ) પ્રિમુખ રાજાએ અનેક હજારો લઘુ પતાકાથી મંડિત થઈ શોભતા એવા ઇન્દ્ર સ્તંભને પહેલા નગરના લોકો વડે પૂજાતા જોયો, પછીથી શોભારહિત થયેલા એવા તે ઇન્દ્રસ્તંભને કાષ્ઠની જેમ પડેલો અને વિષ્ટા તથા મૂત્ર વડે લેપાયેલો જોતાં તે બોધ પામ્યા. ઋદ્ધિ અને અવૃદ્ધિને સમ્યક્ પ્રકારે વિચારીને તે પાંચલ રાજ દ્વિમુખે ધર્મ અંગીકાર કર્યો અર્થાત્ સખ્યમ્ બોધ પામીને સ્વયં પ્રવજ્યા અંગીકાર કરી. દેવતા આપેલ લિંગ–અનિવેશને ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કર્યું. એ પ્રમાણે પ્રત્યેક બુદ્ધ દ્વિમુખ રાજર્ષિનું કથાનક જાણવું. ૦ આગમ સંદર્ભ :આવભા. ૨૦૭ થી ૨૦૯ + ; આવ.સ્. –પૃ. ૨૦૭, ૨૦૮; ઉ. ૬૦૫; ઉત્તનિ. ૨૬૪, ૨૬૫, ૨૭૨ + 4. ઉત્ત.અધ્ય.૯ ની ભાવ.9 ઉત્ત.ચૂં.પૃ. ૧૭૮; ૩. પ્રત્યેક બુદ્ધ નમિ રાજર્ષિ કથા : | (ચાર પ્રત્યેક બુદ્ધો એક સાથે જ સ્વર્ગમાંથી ચ્યવ્યા. સમકાળે જ પ્રવ્રજિત થયા. તેઓને કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે જ થઈ, તેઓ મોલે પણ સમકાળે જ ગયા. તે આ પ્રમાણે :- ૧. કલિંગમાં કરકં, ૨. પાંચાલમાં દુર્મુખ, ૩. વિદેહમાં નમિરાજા અને ૪. ગાંધારમાં નમ્નતિ તેમાંના ત્રીજા પ્રત્યેક બુદ્ધ નમિ રાજાનું કથાનક...) અવંતિ દેશમાં સુદર્શન નામના નગરમાં મણિરથ નામે રાજા હતો. તેનો નાનોભાઈ યુગબાહુ યુવરાજ પદે બિરાજ્યો હતો. તે યુગબાહને મદનરેખા નામની અતિ સ્વરૂપવાનું સ્ત્રી હતી. કોઈ વખતે મદનરેખાને જોઈને મણિરથ રાજા કામાતુર થયો. તેથી તે એકદમ મનોમન બોલ્યો કે, જે સ્ત્રીની રૂપસંપત્તિ જોઈને મારા આત્માને વિશે જ કામદેવ બળવા લાગ્યો છે તો ખરેખર કામદેવનો વિનાશ થયો છે તે વાત મિથ્યા જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370