Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 314
________________ ગોશાલક કથા ૩૧૩ નિરવશેષ રૂપે અહીં કરી લેવી જોઈએ (જુઓ “અંબ” – ઢપ્રતિજ્ઞ કથા, શ્રમણ વિભાગમાં આવેલ છે.) – યાવત્ – તે ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવળી પોતાના અતીતકાળનું અવલોકન કરીને શ્રમણ નિગ્રંથોને કહેશે, આજથી ઘણાં વર્ષો પહેલાં હું ગોશાળ નામનો મખલિપુત્ર હતો. જે શ્રમણોનો ઘાતક – યાવત્ – છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મને પ્રાપ્ત થયો. તે કારણે હે આર્યો ! હું અનાદિ – અનંત અને દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસારઅટવીમાં ભટક્યો. તેથી હે આર્યો ! તમારામાંથી કોઈ પણ આચાર્ય પ્રત્યેનીક થશો નહીં, ઉપાધ્યાય પ્રત્યેનીક થશો નહીં. આચાર્ય–ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અપકીર્તિ કરનારા થશો નહીં અને મારી જેમ અનાદિ-અનંત અને દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં ભ્રમણ ન કરશો. ત્યારે તે શ્રમણ નિર્ગુન્હો દઢપ્રતિજ્ઞા કેવલીના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને ભયભીત થશે, ત્રસ્ત થશે, ત્રસિત થશે અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને દૃઢપ્રતિજ્ઞા કેવલીને વંદન–નમસ્કાર કરીને, તે પાપરૂપ સ્થાનની આલોચના કરશે, પ્રતિક્રમણ કરશે અને આત્મનિંદા કરશે – યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપનો સ્વીકાર કરશે. ત્યારપછી તે દૃઢ પ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને પોતાનું શેષ આયુષ્ય જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે. હે ભગવન્! આ એ જ પ્રકારે છે, હે ભગવન્! આ એજ પ્રકારે છે, એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી – યાવત્ – વિચરે છે. ૦ આગમ સંદર્ભ :સૂયનિ. ૧૯૦; સૂય ચૂ૫ ૪૧૭; ઠા. ૮૭૦, ૯૭૦, ૧૦૦૦ની વૃ. ભ. ૬ર૭ થી ૬૫૮: ઉવા. 3૮ થી ૪૫; આવનિ ૪૭૩ થી ૪૯૪ + વૃક્ષ આવ. યૂ.૧–પૃ. ૨૭૨, ૨૮૨ થી ૨૮૪; નંદી. ૧૫૦–વૃક મહાનિ ૧૦૯૦ થી ૧૧૩૭; કલ્પસૂત્ર–૧૯– – ૪ – ૪ – સમ. ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370