Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 319
________________ ૩૧૮ આગમ કથાનુયોગ-૨ નથી. લોકોએ પૂછયું કે, તારે આ દંડનું શું કામ છે? કરકંડુએ કહ્યું કે, આ દંડના પ્રભાવથી હું રાજા થઈશ. ત્યારે લોકોએ હસીને કહ્યું કે, જો તું આના પ્રભાવે રાજા થાય તો આ વિજાતિયને એક ગામ આપી દેજે. કરકંડુએ તે વાત કબૂલ રાખી. તે વખતે પેલા ધિગુજાતિયે બીજા ધિગૃજાતિયોને પોતાના પક્ષમાં લીધા. નક્કી કર્યું કે, આને મારીને-હણીને પણ આ દંડ તેની પાસેથી હરી લેવો. તે વાત પેલા ચાંડાલે સાંભળી. તેથી ચાંડાલ-ચાંડાલણી અને કરકંડુ ત્રણે ત્યાંથી નાશીને કાંચનપુર ચાલ્યા ગયા. ત્યાં થાકી જવાથી ગામ બહાર ઉદ્યાનમાં કરકંડુ સુઈ ગયો. ત્યાંનો રાજા પુત્રરહિતપણે મરણ પામેલો. પ્રધાનોએ ઘોડાને અધિવાસિત કરી છૂટો મૂક્યો. તે ઘોડો ઉદ્યાનમાં આવ્યો, ત્યાં સૂતેલા કરકંડુ પાસે આવીને પ્રદક્ષિણા આપીને ત્યાં ઊભો રહ્યો. નગરજનોએ જોયું કે, આ કોઈ લક્ષણવાનું જણાય છે. ત્યારે જય-જય શબ્દ કર્યો. નંદીવાદ્ય વગાડ્યું. કરકંડુ પણ બગાસું ખાતો ઊભો થયો અને વિશ્વાસપૂર્વક તે અશ્વ પર સવાર થઈ ગયો. આરૂઢ થયેલો કરકંડુ નગરપ્રવેશ કરતો હતો, તેવામાં વિજાતિય ત્યાં આવ્યો અને તેને નગર પ્રવેશ કરતો અટકાવ્યો અને બોલ્યો કે, અરે ! ચાંડાલ ! તને રાજ્ય ન હોય. ત્યારે કરકંડુએ હાથમાં દંડવત્ન ગ્રહણ કર્યું, તે જ્વાળા કાઢવા લાગ્યું, ભયભીત થઈને તે વિજાતિઓ ઊભા જ રહી ગયા. ત્યાર પછી પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો. રાજાએ સર્વ ચાંડાળોને બ્રાહ્મણ બનાવ્યા. તે રાજાનું મૂળ નામ તો અવકીર્ણક જ હતું, તે અવકીર્ણ પુત્ર તરીકે પણ ઓળખાતો હતો, પરંતુ બાળકોએ તેનું જે કરકંડુ નામ પાડેલ તે નામથી જ રાજા પ્રસિદ્ધ થયો. એક વખત પે'લો ધિજાતિય આવ્યો, તેણે કરકંડુ રાજાને કહ્યું કે, હે રાજા ! તમે મને પૂર્વે વચન આપેલું હતું, તો હવે મને એક ગામ આપો. બોલ તને કયું ગામ આપું? તે ધિગુજાતિય બોલ્યો કે, મારું ઘર ચંપાનગરીમાં છે, તો તેની નજીકનું કોઈ ગામ આપો. તે સાંભળીને કરકંડુ રાજાએ ચંપાનગરીના દધિવાહન રાજા ઉપર લેખ લખીને આપ્યો. મને તમે એક ગામ આપો. તેના બદલામાં હું તમને ગમતું હોય તેવું એક ગામ કે નગર આપીશ. તે વિજાતિયે એ લેખ દધિવાહન રાજાને આપ્યો. તે લેખ વાંચીને દધિવાહન રાજા અતિ રોષાયમાન થઈ ગયો અને બોલ્યો કે, ઓ દુષ્ટ માતંગ ! શું તું તને જાણતો નથી કે, મને આવો લેખ લખે છે. હું આ ચાંડાળના લેખને સ્પર્શ કરવાથી પણ મલિન થયો છું, તે સાંભળીને તે દૂત શીધ્રપણે કરકંડુ રાજા પાસે પાછો આવ્યો. તેથી કરકંદ્ર રાજા પણ કોપાયમાન થયો. તે મોટું સૈન્ય લઈને ચંપાપુરી પહોંચ્યો. નગરીને ઘેરી લીધી. બંને રાજા મધ્યે મહાયુદ્ધ થયું. તે વાત પદ્માવતી સાધ્વીના જાણવામાં આવી. તેથી તેઓ માણસોનો સંહાર ન થાય એ બુદ્ધિથી પ્રથમ કરકંડુ રાજા પાસે આવ્ય. કરકંડૂ તેની સન્મુખ જઈને નમ્યો. સાધ્વીજીએ તેને સમગ્ર વૃત્તાંત જણાવી રહસ્ય સ્ફોટ કરતાં કહ્યું કે, આ રાજા તારા પિતા છે. હે પુત્ર ! પોતાના પિતા સાથે યુદ્ધ કરવું તે યોગ્ય નથી. - ત્યારે તેણે તેના માતા-પિતાને પૂછયું. તેઓએ પણ બનેલી ઘટના કહી. સાધ્વીજીએ કહ્યું કે, હજી તને વિશ્વાસ ન આવતો હોય તો જન્મ વખતે તારા હાથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370