________________
૧/-]૨/૨૭,૨૮
રત્નપ્રભામાં કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નાકે ઘણું આયુ ભોગવ્યા છતાં તેને પલ્યોપમાયુ બાકી હોય અને ૧૦,૦૦૦ વર્ષાયુવાળો નૈરયિક પછી ઉત્પન્ન થાય તો પણ પશ્ચાદુત્પન્નક થયો. તો શું પલ્યોપમાયુવાળા પૂર્વોત્પન્ન કરતાં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પશ્ચાદુત્પન્ન વૈરયિકને મહાકર્મી કહેવો ? [ના, તેમ નથી.]
એ રીતે વર્ણસૂત્રમાં પૂર્વોત્પન્નને અલ્પકર્મથી વિશુદ્ધ વર્ણ અને પશ્ચાદુત્પન્નને બહુકર્મત્વી અવિશુદ્ધ વર્ણમાં જાણવું.
એ રીતે *લેશ્યા' સૂત્રમાં પણ જાણવું. અહીં લેશ્યા શબ્દથી ભાવલેશ્યા લેવી. કેમકે દ્રવ્યલેશ્યા તો વર્ણસૂત્રમાં કહેવાઈ છે.
સમવેદના - સમાન પીડા. સંજ્ઞા - સમ્યગ્દર્શનવાળા તે સંજ્ઞી. સંજ્ઞીપણું પામ્યા તે સંજ્ઞીભૂત અથવા અસંજ્ઞી પછીથી સંજ્ઞી થાય, તે સંજ્ઞીભૂત કહેવાય - મિથ્યાદર્શન છોડીને જન્મથી સમ્યગ્દર્શનયુક્ત ઉત્પન્ન થાય તે સંજ્ઞીભૂત છે. તેઓ પોતાના પૂર્વકૃત્ કર્મને સ્મરીને કહે છે – અહો ! અમને મહા દુઃખ આવ્યું છે અમે પૂર્વે અરહંત પ્રણીત સર્વ દુઃખક્ષયકર ધર્મ ન આચર્યો. અમારું ચિત્ત વિષય સુખમાં લલચાયું, તેથી આ કષ્ટ સહેવું પડે છે. તેથી તેમને મોટું માનસિક દુઃખ થાય છે, માટે તેઓ મહાવેદના
વાળા છે.
૬૩
અસંજ્ઞીભૂત છે તે મિથ્યાર્દષ્ટિ છે. તેઓ સ્વકૃત્કર્મનું આ ફળ છે તેમ ન જાણતા હોવાથી ઓછી પીડાવાળા છે.
બીજા કહે છે – સંજ્ઞી એટલે પંચેન્દ્રિયવાળા સંજ્ઞીજીવો જે નાકપણું પામે, તેવા સંજ્ઞીભૂતો મહાવેદનાવાળા હોય, કેમકે તેઓ તીવ્ર અશુભ અધ્યવસાયથી અશુભતર કર્મબંધનથી મહાનકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વે અસંજ્ઞી હોય અને પછી નાકપણું પામે. તેઓ પૂર્વે અતિ અશુભ અધ્યવસાયના અભાવે તીવ્ર વેદનારહિત નરકમાં ઉત્પાદથી અાવેદનાવાળા થાય છે - અથવા - સંજ્ઞી એટલે પર્યાપ્તિ પૂર્ણ થયેલા. અસંજ્ઞી એટલે અપર્યાપ્તા. - X + X -
સમજિરિય - કર્મબંધનના કારણભૂત ક્રિયા, જેની તુલ્ય છે તે. (૧) આરંભ પૃથ્વી આદિનું ઉપમર્દન, જેમાં છે તે આરંભિકી, (૨) ધર્મના ઉપકરણ સિવાયની વસ્તુ લેવી કે ધર્મોપકરણમાં મમત્વ જે ક્રિયામાં છે તે પારિગ્રહીકી. (૩) વક્રતા તથા ઉપલક્ષણથી ક્રોધ આદિ જેમાં છે તે માયા પ્રત્યયા. (૪) નિવૃત્તિ અભાવ, કર્મ બંધાદિ કરણ તે અપ્રત્યાખ્યાન. (૫) મિથ્યાદર્શનને કારણે થતી મિથ્યાત્વ ક્રિયા. [શંકા મિથ્યાત્વાદિ ચાર કર્મબંધ હેતુરૂપે પ્રસિદ્ધ છે. અહીં કર્મબંધનના કારણરૂપે આભાદિ કહ્યા, તેમાં વિરોધ કેમ ન આવે? [સમાધાન] આરંભ, પરિગ્રહ શબ્દથી યોગનું ગ્રહણ કરવું. બાકીના પદોથી બાકીના બંધ હેતુ ગ્રહણ કરવા. તેમાં સમ્યક્ દૃષ્ટિને
ન
મિથ્યાત્વ ન હોવાથી ચાર ક્રિયા હોય છે. બાકીનાને પાંચ ક્રિયા હોય છે. અહીં મિશ્ર દૃષ્ટિને મિથ્યાત્વરૂપે જ ગણેલ છે.
સવ્વ સમાવા આદિ પ્રશ્નનનું નિર્વચન ચતુર્ભાગી વડે થાય છે - સમાન આયુવાળા અને સાથે ઉત્પન્ન, સમાનાયુ પણ સાથે ઉત્પન્ન નહીં, વિભિન્નાયુવાળા પણ
૬૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સહોત્પન્ન અને વિષમાયુ તથા વિષમોત્પન્ન. અહીં સંગ્રહ ગાથા કહે છે. આહાર, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયામાં સમાન તથા આયુ અને ઉત્પત્તિમાં ચાર ભાંગા છે.
૦ આહારાદિ નવપદ યુક્ત અસુકુમાર પ્રકરણ સૂચિત થયું. તે નાક પ્રકરણવત્ જાણવું. છતાં વિશેષથી કંઈક કહીએ છીએ - અસુકુમારોનું અલ્પ શરીરત્વ ભવધારણીય શરીરની અપેક્ષાએ જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ અને મોટાપણું સાત હાથ ઉત્કૃષ્ટથી છે. ઉત્તર વૈક્રિયમાં મોટાપણું લાખ યોજન છે. તેમાં આ મહાશરીરી ઘણાં પુદ્ગલોને આહારે છે. મનોભક્ષણરૂપ આહાર અપેક્ષાએ દેવોનો એ આહાર છે અને તે પ્રધાન પણ છે. શાસ્ત્રમાં પણ પ્રધાન પદાર્થ અપેક્ષાએ વસ્તુના નિર્દેશો હોય છે. માટે તેઓ અલ્પશરીર વડે લેવાતા આહારના પુદ્ગલોથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે. ઇત્યાદિ બધું પૂર્વવત્ છે. વારંવાર આહારે છે કે શ્વાસ લે છે. તે ચતુર્થાદિથી ઉપર આહાર કરે છે, તે અપેક્ષાએ જાણવું અને સાત સ્તોકાદિ પહેલાં ઉચ્છ્વાસ લે તે અભક્ષ્ણ ઉચ્છ્વાસ. કેમકે અસુરકુમારો ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ કરતા અધિક કાલે આહાર કરે છે અને એક પક્ષ કરતા અધિક કાળે ઉચ્છ્વાસ લે છે, તેની અપેક્ષાએ અલ્પકાલીન આહારાદિને “વારંવાર” કહેવાય.
અાશરીરી અસુરકુમારો અલ્પતર આહાર કરે અને અલ્પતર પુદ્ગલોને ઉચ્છ્વાસમાં લે, કેમકે તેઓ નાના શરીરવાળા છે. વળી તેમનું કદાચિત્ આહારઉચ્છ્વાસપણું કહ્યું તે મહા શરીરવાળાના આહારાદિ અંતરાલની અપેક્ષાએ જાણવું. - ૪ - ૪ - મહાશરીરી અસુરકુમારોને આહાર, ઉશ્ર્વાસનું અલ્પ અંતર છે અને અલ્પ શરીરીને મોટું અંતર છે. જેમ - સાત હાથ શરીરી સૌધર્મ દેવોને આહારનું અંતર ૨૦૦૦ વર્ષ અને ઉચ્છ્વાસનું અંતર બે પખવાડીયા છે. અલ્પ શરીર અનુત્તર દેવો એક હાય ઉંચા છે, તેમનું આહારનું અંતર ૩૩,૦૦૦ વર્ષ, ઉચ્છ્વાસમાંતર ૩૩-૫ક્ષ છે. એ મહાશરીરી અસુકુમારોને વારંવાર આહારાદિ કહ્યા. તેથી તેમની અલ્પ સ્થિતિ જણાય છે, બીજાઓને તે વૈમાનિકવત્ છે.
અથવા પર્યાપ્તાવસ્થામાં મહાશરીરી અસુકુમારો લોમાહાર અપેક્ષાએ વારંવાર આહાર કરે છે - ૪ - અપર્યાપ્તાવસ્થામાં તો અલ્પશરીરી લોમાહારથી નહીં પણ ઓજાહાથી આહાર કરે છે. માટે કદાચિત્ આહાર કરે છે, તેમ કહ્યું. અપર્યાપ્તા વસ્થામાં ઉચ્છ્વાસ લેતા નથી. ઉચ્છ્વાસપર્યાપ્તા વસ્થામાં લે છે, માટે ‘કદાચિત્ કહ્યું.
કદિ નારકોની અપેક્ષાએ ઉલટા કહેવા. તે જ કહે છે – જે પૂર્વોત્પન્ન નારક છે, તે ઓછા કર્મવાળા, શુદ્ધ વર્ણવાળા, શુભતર લેશ્યાવાળા છે, એમ કહ્યું. પૂર્વોત્પન્ન અસુરો મહાકર્મી આદિ છે. કેમકે પૂર્વોત્પન્ન અસુરો અતિકંદર્પ અને દર્શાયુક્ત હોવાથી અનેક પ્રકારની યાતના વડે નારકોને પીડતા અતિ અશુભકર્મ એકઠું કરે છે. માટે મહાકર્મી છે. અથવા ભાવિ ગતિમાં તિર્યંચાદિને યોગ્ય કર્મ બાંધેલ હોવાથી મહાકર્મી છે. તથા પૂર્વોત્પન્નના શુભકર્મ ક્ષીણ થવાથી શુભવર્ણ, શુભ લેશ્યા ઘટે છે માટે