Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક–૨: ઉદ્દેશક-૧
ર૩૭ |
છિિક્ષા. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્!ઔરયિક કેવા પ્રકારના પુગલોને બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છવાસના રૂપમાં ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! આ વિષયમાં પૂર્વ કથનાનુસાર જાણવું જોઈએ અને તે નિશ્ચિત રૂપે છ દિશાના પગલોને બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છવાસનાં રૂપમાં ગ્રહણ કરે છે અને છોડે છે.
જીવ સામાન્ય અને એકેન્દ્રિયો જો વ્યાઘાત ન હોય તો, સર્વ દિશાઓમાંથી બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છવાસને માટે પુદ્ગલ ગ્રહણ કરે છે અને જો વ્યાઘાત હોય તો, કદાચિત્ ત્રણ દિશામાંથી, કદાચિત્ ચાર દિશામાંથી, કદાચિતુ પાંચ દિશામાંથી શ્વાસોચ્છવાસના પુગલોને ગ્રહણ કરે છે. શેષ સર્વ જીવ નિયમા છ દિશામાંથી શ્વાસોચ્છવાસના પુદ્ગલને ગ્રહણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવો, નારકો આદિના શ્વાસોચ્છવાસના સંબંધમાં શંકા-સમાધાન પ્રસ્તુત કર્યા છે. આપતિ પતિ ૩રૂતિ નીતિ:- વૃત્તિકારે આળ-પાઈ અને રાસ-તિ આ બે - બે શબ્દોને એકાર્થક માન્યા છે. પરંતુ આચાર્ય મલયગિરિએ પ્રજ્ઞાપના વૃત્તિમાં અન્ય આચાર્યનો મત આપીને તેમાં ભેદ બતાવ્યો છે. આજનતિ અને પતિ આ બંને અન્તઃસ્ફરિત થતી ઉચ્છવાસ–નિશ્વાસ ક્રિયાના અર્થમાં પ્રયુક્ત થયા છે અર્થાત્ આત્યંતર શ્વાસોચ્છવાસને આણપ્રાણ કહે છે.
સ્પતિ-જાતિ આ બંને બાહ્ય –રિત ઉચ્છવાસ-નિશ્વાસની ક્રિયાના અર્થમાં છે અર્થાતુ બાહ્ય શ્વાસોચ્છવાસને ઉચ્છવાસ નિઃશ્વાસ કહે છે. એકેન્દ્રિય જીવોના શ્વાસોચ્છવાસ સંબંધી શંકા શા માટે ? :- પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોના શ્વાસોચ્છવાસ મનુષ્યાદિની જેમ દષ્ટિગોચર થતા નથી અને તે જીવોને નાક અને મુખ પણ હોતા નથી. તેથી અહીં તવિષયક જિજ્ઞાસા પ્રગટ કરી છે.
તેનું સમાધાન કરતા સૂત્રમાં કહ્યું છે કે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો પણ બાહ્ય અને આત્યંતર શ્વાસ લે છે અને છોડે છે. તાત્પર્ય એ છે કે તે એકેન્દ્રિય જીવો શરીરના રોમરાયથી શ્વાસ લે છે. uિr (ઘ) :- કયા પુદ્ગલોનો શ્વાસોચ્છવાસ લે છે અર્થાત્ એકેન્દ્રિય જીવનો શ્વાસોચ્છવાસ કેવો હોય છે? તેના સમાધાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી શ્વાસોચ્છવાસ યોગ્ય બાદર પુદ્ગલોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે અને પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ મા પદના આહાર સંબંધી વર્ણનની સમાન સમજવાનું સૂચન કર્યું છે. તાત્પર્ય એ છે કે દરેક જીવ વર્ણ આદિ વીસ બોલયુક્ત અષ્ટ સ્પર્શી પુદ્ગલોનો શ્વાસોચ્છવાસ લે છે. વ્યાઘાત અવ્યાઘાત - એકેન્દ્રિય જીવ લોકના અંત ભાગમાં પણ હોય છે, ત્યાં તેને અલોક દ્વારા