Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
સૂત્રના વૈમાનિક ઉદ્દેશક પ્રમાણે સર્વ વર્ણન જાણવું.
વિવેચન :
દેવોના ચાર પ્રકાર છે. તેના સ્થાન પ્રજ્ઞાપના સુત્રાનુસાર આ પ્રમાણે છે.
ભવનપતિના આવાસ :- રત્નપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ (એક લાખ, અઠ્યોતેર હજાર) યોજનની પોલાણમાં ૧૩ પાથડા અને ૧ર આંતરા છે. તેમાંથી ઉપરના બે આંતરાને છોડીને દશ આંતરામાં ૭,૭૨,૦૦૦,૦૦ (સાત કરોડ, બોંતેર લાખ)ભવનપતિના ભવન છે. તેના સ્થાન લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.
વ્યંતર–જ્યોતિષીદેવોના આવાસ :- અસંખ્ય વાણવ્યંતર દેવોના નગર અને જ્યોતિષી દેવોના વિમાન મધ્યલોકમાં છે.
વૈમાનિક દેવોના આવાસ :- ઉર્ધ્વલોકમાં બાર દેવલોક, નવ લોકાંતિક, ત્રણ કિલ્વીષી, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન છે. તેમાં સર્વ મળીને ૮૪,૯૭,૦૨૩(ચોર્યાસી લાખ, સત્તાણુ હજાર, ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાન છે. તેમાં પહેલા અને બીજા દેવલોકનો આધાર ઘનોદધિ, ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકનો આધાર ઘનવાયુ, છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોકનો આધાર ઘનોદધિ તથા ઘનવાયુ બને છે. ત્યાર પછીના સર્વ વિમાન આકાશના આધારે સ્થિત છે.
આ જ રીતે વિમાનોના પ્રમાણ, રંગ, કાંતિ, ગંધ આદિનું સર્વવર્ણન પ્રજ્ઞાપના સુત્ર અને જીવાભિગમ સૂત્રથી જાણી લેવું જોઈએ.
|| શતક /
સંપૂર્ણ .