Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 482
________________ ૪૨૦ ] શ્રી ભગવતી સૂત્ર-૧ અસુરરાજ ચમર, જેટલું ક્ષેત્ર નીચે જઈ શકે છે, તેટલું ક્ષેત્ર નીચે જવામાં શક્રેન્દ્રને બે સમય અને તેટલું જ ક્ષેત્ર નીચે જવામાં વજને ત્રણ સમય લાગે છે. અર્થાત્ અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો અધોલોક કંડક [અધોગમનનું કાલમાન સર્વથી અલ્પ છે અને ઉર્ધ્વલોક કંડક [ઉર્ધ્વગમનનું કાલમાન] તેથી સંખ્યાત ગણ છે. હે ગૌતમ ! તેથી દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથેથી અસુરેન્દ્ર અસુરરાજ ચમરને પકડવામાં સમર્થ થયા નહીં. વિવેચન : પ્રસ્તુત ત્રણ પ્રશ્નોત્તરમાં ફેંકેલી વસ્તુને પકડવાનું દેવ-સામર્થ્ય પ્રદર્શિત કર્યું છે. વસ્તુને પકડવાની દેવ–શક્તિ - કોઈ પણ ફેંકેલી વસ્તુને ગંતવ્ય સ્થાન પર પહોંચતા પહેલાં જ તેને પકડી લેવાનું સામર્થ્ય મનુષ્યમાં તો હોતું જ નથી પરંતુ મહર્તિક દેવ પાસે આ પ્રકારનું સામર્થ્ય હોય છે. દેવોની ગતિ શીઘ, શીધ્રતર થતી જાય છે. જ્યારે ફેકેલી વસ્તુની ગતિ મંદ મંદતર થતી જાય છે. તેથી વસ્તુ ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પહેલા જ દેવ તેને પકડી શકે છે. ચમરેન્દ્રને પકડવાની શકેન્દ્રની શક્તિ નથી - દેવની ગતિ શીધ્ર શીધ્રતર થવા છતાં શક્રેન્દ્ર, અમરેન્દ્રને પકડી શક્યા નહીં. તેનું કારણ એ છે કે અસુરકુમારનું અધોગમન સામર્થ્ય શકેન્દ્રથી અધિક હોય છે. શક્રેન્દ્રનું અધોગમન સામર્થ્ય અમરેન્દ્ર કરતાં અર્ધ છે. અધોગમનમાં જેટલા ક્ષેત્રને પસાર કરતાં, ચમરેન્દ્રને એક સમય થાય, તેટલા જ ક્ષેત્રને પસાર કરતાં શક્રેન્દ્રને બે સમય થાય છે. જ્યારે શક્રેન્દ્રનું ઉર્ધ્વગમન સામર્થ્ય ચમરેન્દ્ર કરતાં ત્રણ ગણું છે. ઉર્ધ્વગમનમાં શક્રેન્દ્રને જેટલા ક્ષેત્રને પસાર કરતાં એક સમય થાય તેટલા જ ક્ષેત્રને પસાર કરતાં ચમરેન્દ્રને ત્રણ સમય થાય છે. આ રીતે અસુરકુમારોનું અધોગમન સામર્થ્ય અધિક છે જ્યારે શક્રેન્દ્રનું ઉર્ધ્વગમન સામર્થ્ય અધિક છે. તેથી શક્રેન્દ્ર, અમરેન્દ્રને પકડી શક્યા નહીં. ઈન્દ્રના ઉર્ધ્વગમનાદિ સામર્થ્યનો અલ્પબદુત્વ :| २५ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो उड्टुं अहे तिरियं च गइविसयस्स कयरे कयरेहिंतो अप्पे वा, बहुए वा, तुल्ले वा, विसेसाहिए वा ? गोयमा ! सव्वत्थोवं खेत्तं सक्के देविंदे देवराया अहे उवयइ एक्केणं समएणं, तिरियं संखेज्जे भागे गच्छइ, उड्डे संखेज्जे भागे गच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રનો ઉર્ધ્વગમન વિષય, અધોગમન-વિષય અને તિર્યગુ ગમન વિષયમાં કયો વિષય કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રનું એક સમયમાં સર્વથી અલ્પ અધોગમન સામર્થ્ય છે,

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584