Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
રમણ કરનાર અન્યતીર્થિક સાધુનું પણ અહીં ગ્રહણ થઈ શકે છે. વરિય નદ્ધિ :- શરીર સામર્થ્ય, આત્મ સામર્થ્ય અથવા પુરુષાર્થને વીર્ય લબ્ધિ કહે છે. વૈક્રિય આદિ કોઈપણ લબ્ધિનો પ્રયોગ વીર્ય લબ્ધિથી જ થઈ શકે છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં લબ્ધિત્રયમાં સહુ પ્રથમ વીર્યલબ્ધિનું કથન છે. ત્યારપછી વારાણસી આદિ ઈચ્છિત રૂપોની વિદુર્વણા માટે વૈક્રિય લબ્ધિ અને તેના જ્ઞાન માટે વિર્ભાગજ્ઞાન લબ્ધિનું કથન છે. વિકર્વણા - માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર્યલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ સંપન્ન હોવાથી ગમે તે રૂપની વિદુર્વણા કરી શકે છે. પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારની વિદુર્વણાનું કથન છે. (૧) રાજગૃહીમાં સ્થિત તથાકથિત અણગાર વાણારસીની વિદુર્વણા કરે છે. (૨) વાણારસીમાં સ્થિત તથાકથિત અણગાર રાજગૃહી નગરીની વિદુર્વણા કરે છે. (૩) રાજગૃહી અને વાણારસીની મધ્યમાં એક વિશાળ જનપદની વિદુર્વણા કરે
વિકુવર્ણા સંબંધી જ્ઞાન - વિદુર્વણા કર્યા પછી તે અણગાર વિભૃગજ્ઞાનના કારણે અન્યથાભાવે જાણે–દેખે છે. પ્રથમ આલાપકમાં તે રાજગૃહીમાં સ્થિત છે અને વાણારસી નગરીની વિકુણા કરી છે. પરંતુ તેને વિર્ભાગજ્ઞાન હોવાથી તેનું જ્ઞાન અને દર્શન વિપરીત હોય છે. તેથી (૧) તેને રાજગૃહીમાં સ્થિત હોવા છતાં વાણારસીમાં સ્થિત મેં રાજગૃહીની વિદુર્વણા કરી છે અને તદ્ગત રૂપોને હું જાણું–દેખું છું આ પ્રકારે પ્રતીત થાય છે. (૨) રાજગૃહીમાં સ્થિત મેં વાણારસીની વિદુર્વણા કરી છે અને તર્ગત રૂપોને હું જાણું–દેખું છું. અથવા (૩) આ રાજગૃહી છે, આ વાણારસી છે અને તેની મધ્યમાં વિશાળ જનપદ છે. તેમ જાણે છે પરંતુ આ મારી વીર્યલબ્ધિ કે વૈક્રિયલબ્ધિ છે, તે પ્રમાણે જાણતા નથી.
જે રીતે દિડમૂઢ મનુષ્ય પૂર્વ દિશાને પણ પશ્ચિમ દિશા માને છે, તે જ રીતે તેનું જ્ઞાન વિપરીત હોવાથી પોતાના દ્વારા વિકર્વિત રૂપોને સ્વાભાવિક માને છે.
ને વિવવારે :- તેનું દર્શન, અનુભવ અને ક્ષેત્ર સંબંધી વિચાર વિપરીત હોય છે.
અમારી સમ્યગદષ્ટિ અણગારની વિકુર્વણા :
८ अणगारे णं भंते ! भावियप्पा अमाई सम्मदिट्ठी वीरियलद्धीए, वेउव्विय लद्धीए, ओहिणाणलद्धीए रायगिह णयरं समोहए, समोहणित्ता वाणारसीए णयरीए रूवाई जाणइ पासड? हता. जाणड पासह ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું વાણારસી નગરીમાં સ્થિત અમાયી સમ્યગુદષ્ટિ ભાવિતાત્મા અણગાર, પોતાની વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને અવધિજ્ઞાન લબ્ધિથી રાજગૃહ નગરીની વિફર્વણા કરીને વાણારસીના રૂપોને જાણે અને દેખે છે?
ઉત્તર- હા, ગૌતમ! તે અણગાર તે રૂપોને જાણે અને દેખે છે.