Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-: ઉદ્દેશક-૪
_.
૪૪૫ ]
ભાવિતાત્મા અણગાર:- સંયમ અને તપથી જેણે આત્માને ભાવિત કર્યો છે, તેવા અણગારને ભાવિતાત્મા અણગાર કહે છે, તેને પ્રાયઃ અવધિજ્ઞાન આદિ લબ્ધિઓ હોય છે. ચૌભગી - અવધિજ્ઞાન લાયોપથમિક છે અને ક્ષાયોપથમિક જ્ઞાનની વિચિત્રતા હોવાથી અહીં ચાર ભંગ કરીને ઉત્તર આપ્યા છે.
પ્રશ્ન આ પ્રમાણે છે. (૧) યાનમાં જતાં દેવને જોઈ શકે ? (૨) યાનમાં જતી દેવીને (૩) યાનમાં જતાં દેવી સહિત દેવને (૪) વૃક્ષના આંતરિક ભાગને કે બાહ્ય ભાગને (૫) મૂળને કે સ્કંધને (૬) મૂળને કે સ્કંધને જોઈ શકે છે? આ રીતે મૂળ સાથે ક્રમશઃ બીજનો સંયોગ કરીને તે જ રીતે કંદાદિ સાથે ક્રમશઃ બીજ પર્યતનો સંયોગ કરીને પ્રશ્ન પૂછવા.
પ્રત્યેક પ્રશ્નના ઉત્તરમાં ચાર ભંગ થાય છે યથા– (૧) કોઈ અણગાર દેવને જોઈ શકે પણ, વિમાનને જોઈ શકતા નથી. (૨) કોઈ વિમાનને જોઈ શકે પણ દેવને જોઈ શકતા નથી. (૩) કોઈ વિમાન અને દેવ બંનેને જોઈ શકે છે. (૪) કોઈ વિમાન અને દેવ બંનેને જોઈ શકતા નથી. આ રીતે દરેક ઉત્તરના ચાર ભંગ સમજી લેવા જોઈએ. વલ આદિ દશ પદોના દ્વિક સંયોગી ૪૫ ભંગ -મૂળ આદિ દશ પદ આ પ્રમાણે છે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) પ્રવાલ કૂિંપળ] (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. આ દશમાંથી મૂળ સાથે શેષ નવ પદનો સંયોગ કરવાથી ૯ ભંગ થાય છે. યથા- (૧) મૂળ-કંદ (૨) મૂળ -સ્કંધ (૩) મૂળ-ત્વચા (૪) મૂળ–શાખા (૫) મૂળ-પ્રવાલ (૬) મૂળ-પત્ર (૭) મૂળ-પુષ્પ (૮) મૂળ –ફળ (૯) મૂળ–બીજ. આ રીતે
શેષ શેષ શેષ શેષ
મૂળ સાથે કંદ સાથે સ્કંધ સાથે ત્વચા સાથે શાખા સાથે પ્રવાલ સાથે પત્ર સાથે પુષ્પ સાથે ફળ સાથે
નવ આઠ સાત છ પાંચ ચાર
શેષ
પદનો પદનો પદનો પદનો પદનો પદનો પદનો પદનો પદનો
સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી સંયોગ કરવાથી
૯ ભંગ ૮ ભંગ ૭ ભંગ ૬ ભંગ ૫ ભંગ ૪ ભંગ ૩ ભંગ ૨ ભંગ ૧ ભંગ ૪૫ ભંગ
શેષ
કોમ
શેષ શેષ
બે એક
આ રીતે મુળ આદિના કુલ ૪૫ ભંગ થાય છે. તેમ દેવ દેવીના પૂર્વોક્ત ચાર ભંગ ગણવાથી ૪૯ ભંગ થયા. તે દરેકના ઉત્તર ચૌભંગીથી આપવા. તેથી ૪૯ ચૌભંગી થઈ.