Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 454
________________ શ્રી ભગવતી સૂત્ર–૧ देविंदाणं देवराईणं अंतियं पाउब्भवइ, जं से वयइ तस्स आणा उववाय वयण णिसे चिट्ठति । ૩૯૨ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે બંને ઈન્દ્રો વચ્ચે વિવાદ થાય, ત્યારે તેઓ શું કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જ્યારે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર, તે બંનેની વચ્ચે વિવાદ થાય, ત્યારે તે બંને દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારનું મનમાં સ્મરણ કરે છે, તેના સ્મરણ માત્રથી જ સનત્કુમારેન્દ્ર તેની પાસે આવે છે, તે આવીને જે કહે, તેને બંને ઈન્દ્રો માન્ય કરે છે. તે બંને ઈન્દ્રો તેની આજ્ઞા, સેવા, આદેશ અને નિર્દેશમાં રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બંને ઈન્દ્રોના પરસ્પરના વ્યવહારને સૂચિત કર્યો છે. બંને ઈન્દ્રનો પરસ્પરનો વ્યવહાર નાના—મોટા મિત્રની સમાન કે પાડોશીની સમાન હોય છે, શક્રેન્દ્ર નાના છે; ઈશાનેન્દ્ર સ્થિતિ, શક્તિ, ઋદ્ધિ આદિ દરેક અપેક્ષાએ કંઈક મોટા છે. તેથી શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રની યથોચિત માન–મર્યાદા સાચવે છે અને ઈશાનેન્દ્ર પણ મિત્રવત્ જ વ્યવહાર કરે છે, તેમ છતાં ક્યારેક અનાદર કરતાં પણ જઈ શકે છે, બોલી શકે છે. તેઓ બંને પરસ્પર એક બીજાની પાસે જઈ શકે છે, વાતચીત કરી શકે છે, એકબીજાને જોઈ શકે છે. બંને ઈન્દ્ર હોવા છતાં કર્માધીન છે, રાગ દ્વેષથી યુક્ત છે તેથી પરસ્પરમાં વિવાદ પણ થઈ શકે છે. જ્યારે વિવાદ થાય ત્યારે તે બંને ઈન્દ્રો ત્રીજા દેવલોકના ઈન્દ્ર સનત્કુમારેંદ્રનું મનથી સ્મરણ કરે છે. તુરંત સનત્કુમારેન્દ્ર આવીને તેનું સમાધાન કરે છે. તેનો નિર્ણય બંને ઈન્દ્રો સ્વીકારે છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે દેવલોકના દેવોનો વ્યવહાર પણ આપણી સમાન જ છે. સનત્કૃમારેન્દ્રની યોગ્યતા : ४५ सणकुमारे णं भंते ! देविंदे देवराया किं भवसिद्धिए ? अभवसिद्धिए ? સમ્મવિદ્દી ? મિટ્ટિી ? પત્તિસંસાર ? મળતસંસારણ્ ? પુત્તમનોહિણ્ ? ગુત્તમનોહિણ ? આાહક્ ? વિાહણ ? શ્મે ? અશ્મિ ? गोयमा ! सणंकुमारे णं देविंदे देवराया भवसिद्धिए, णो अभवसिद्धिए । વં સમ્મલિક, ત્તસંભારણ, સુલમનોહિ, આરાહ", પશ્મિ, પસત્યં શેયન્ન । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે? પરિત્ત સંસારી છે કે અનંત સંસારી છે ? સુલભ બોધિ છે કે દુર્લભબોધિ છે ? આરાધક છે કે વિરાધક છે ? ચરમ છે કે અચરમ છે ? ઉત્તર– હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી; આ રીતે તે

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584