Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ઉદયથી મિશ્રભાષા બોલાય છે. અસત્યામૃષા-વ્યવહારભાષા :- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયના નિમિત્તથી વ્યવહાર ભાષા બોલાય છે. (૧૨) ભાષક અને અભાષક:- અપર્યાપ્તક જીવ, એકેન્દ્રિય જીવો, સિદ્ધનાજીવો, શૈલેશી પ્રતિપન્ન જીવ અભાષક છે. શેષ જીવો ભાષક છે. (૧૩) અલ્પબહત્વઃ- સર્વથી થોડા સત્યભાષક, તેથી મિશ્રભાષક અસંખ્યાત ગુણા, તેથી અસત્યભાષક અસંખ્યાત ગુણા, તેથી વ્યવહાર ભાષક અસંખ્યાત ગુણા, તેથી અભાષાક જીવ અનંતગુણા છે.
આ શતક ૨/૬ સંપૂર્ણ છે.