Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 7
________________ પતિ, પથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝેની સાથે રાખતા. સંડાસમાં નહીં પણ દૂર જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની કુદરતી હાજત માટે જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતના કરતા. જુવો આ ગૃહસ્થ જીવન પણ કેટલું આદર્શ છે. આ જીવન તો આજે મુનિવરને પણ વિચાર કરે તેવું છે. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમજ કહેતા કે જીદગીને કેઈ ભરેસે નથી. “અનંતર્થ વિર્ય માં મg” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન કરવા જોઈએ. ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરો અને પૂ. મહાસતીજીને તથા બોટાદ સાંપ્રદાયના પૂ. આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત–શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી. ભાયચંદજી મહારાજ, શ્રમણ સંઘના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તમય જ્ઞાનનિધી શાસ્ત્રોદ્ધારક બા. બ્ર. પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુ-સાધ્વીએના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં. ૨૦૧૧ની સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજની સંપ્રદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજનો પરિચય થયે. લાલચંદજી મહારાજે પોતે, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ છ ના પરિવાર સાથે આદર્શ વૈરાગ્ય સાથે સંયમ અંગીકાર કરેલ, તે જાણી તેમને અદ્દભૂત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી લય પામી નહીં આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતાની સાથે સ્વ. મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજનાં દર્શને બેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબના દીક્ષા પ્રસંગ ઉપરની હતી. આ બેઉ પ્રસંગાએ પૂર્વ ભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હેઈને વખતે વખત તેઓ માતા-પિતા પાસે નમ્રતા પૂર્વક દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા, “જે હજુ વાર છે. સમય પાકવા દીઓ. જ્ઞાન, અભ્યાસ વધારે. સંયમના સવરૂપને બરાબર સમજે સંયમ ખાંડાની ધાર છે. વેશથી આત્મસ્થાન નથી થતું મન, વચન, અને કાયાના ચંચળ ચોગેનું અવરોધ થવાથી જ આગળ વધી શકાય ઉતાવળ ન કર. સ. ૨૦૧૨ના અષાડશુદી ૧૫થી શ્રી વિનેદકુમારે ગેંડલ સંપ્રદાયના શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 879