Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 166
________________ ટીકાર્ય–ક્ષમાવાન તપસ્વી તે પૂર્વોક્ત સ્વમત વાળા કે અન્યમતવાળા આક્ષેપ કરે–અથવા હિતકર શિક્ષા–શિખામણ દે તે તેના પર કોધ ન કરે તેને દંડા વિગેરેના પ્રહારથી પીડા ન પહોંચાડે તથા તેના પ્રત્યે કઠેર વચનોનો પગ પણ ન કરે. પરંત સાધુ એ વિચાર કરે કે- મારી નિંદા કરે છે, પણ તેઓનું કથન સાચું છે? કે અસત્ય છે? જે સત્ય છે, તે મારે ક્રોધ કર ન જોઈએ. અને જે તેઓનું કથન અસત્ય છે, તો પણ તેને વિદૂષક પ્રમાણે સમજીને ક્રોધ કરવાથી શું લાભ છે? કહ્યું પણ છે કે—ગાત્રે મતિમત” ઈત્યાદિ - જ્યારે કેઈ આકાશ કરે તે બુદ્ધિશાળી પુરૂષ તત્વને વિચાર કરે તે આ પ્રમાણે વિચારે કે-જે આ સત્ય કહે છે, તો કોધ કરવાથી લાભ શું છે ? અને જે તેનું કહેવું અસત્ય હોય તે પણ ક્રોધ શા માટે કરવો? જે તેઓ એમ કહે કે આપે અગ્ય આચરણ કરવું ન જોઈએ તે તેમનું એ કથન સાંભળીને સાધુએ કહેવું કે “ઠીક છે, આપ જેમ કહે છે, એજ પ્રમાણે કરવાને ભાવ રાખું છું. આ પ્રમાણે તેના કથનને મધ્યસ્થ ભાવથી સ્વીકાર કરીને તેમજ કરે. અને મિથ્યાદુકૃત દઈને અસત્ આચરણથી નિવૃત્ત થઈ જવું. તથા એવો વિચાર કરે કે-આમ કરવાથી તે મારું જ કલ્યાણ છે, તેના ભયથી પણ પ્રમાદ ન કરે. અને સદાચરણમાં મન લગાવે. કહેવાને આશય એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી જે કઈ સાધુને હિત કર શિખામણ દે તે સાધુએ શિખામણ આપનારા ઉપર ક્રોધ કરે નહીં તેને દડા વિગેરેથી અથવા કડવા વેણથી પ્રહાર ન કરવો. પરંતુ એવું કહેવું કેહવે તેમ ન કરવાને મારે ભાવ છે. આપે મને સારી હિતકર શિખામણ આપી છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરીને સદાચરણમાં બુદ્ધિને સ્થાપિત કરે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૫૯

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233