Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 184
________________ પ્રકારની ભાષાઓ દ્વારા જ કરવું જોઈએ. અર્થાત સત્ય ભાષા અને વ્યવહાર ભાષાથી જ તેની પ્રરૂપણ કરવી જોઈએ. સાધુએ ધર્મોપદેશના સમયે અથવા બીજા કેઈ પણ અન્ય સમયે જ્યારે પણ બેસે ત્યારે આ બે ભાષા જ બોલે. જે સત્ય છે, તે સત્ય ભાષા છે. અને જેમાં સત્યને વ્યવહાર ન હોય તેમ અસત્યને વ્યવહાર પણ ન હોય, તે વ્યવહાર ભાષા કહેવાય છે. સાધુએ કેવા પ્રકારના થઈને આવું ભાષણ કરવું ? આ પ્રશ્નનો ઉત્તર એ આપવામાં આવે છે કે-જે સમ્યક્ સંયમ દ્વારા ઉસ્થિત છે, અથવા ઉત્તમ સંયમનું પાલન કરવાવાળા સાધુ છે, તેની સાથે રહેવું. તેમની બુદ્ધી સઘળા પ્રાણિયાની રક્ષા કરવાની હોય. તે ચક્રવર્તી રાજા અને દરિદ્રને સમભાવથી જોતા થકા અર્થાત્ સમભાવી અર્થાત્ રાગદ્વેષથી રહિત થઈને ધર્મને ઉપદેશ સઘળાઓને બે પ્રકારની ભાષાઓથી આપે. કહેવાને અભિપ્રાય એ છે કે–સાધુએ શંકાથી રહિત થઈને પણ શક્તિ વચનને પ્રયોગ ન કરવો. વ્યાખ્યાન વિગેરેના સમયે સ્યાદ્વાદ યુક્ત વચન જ બેસે. તથા ધર્મનું અનુષ્ઠાન કરવા વાળાઓની સાથે વિહાર કરે. તથા સત્ય ભાષા અને વ્યવહાર ભાષાને પ્રયોગ કરતા થકા સમભાવથી સઘળાને ધર્મને ઉપદેશ કરે. સાંભળનાર વ્યક્તિમાં ભેદ રાખીને ઉપદેશમાં વિષમપણું ન કરે. અર્થાત્ રાજા વિગેરેને ધ્યાનપૂર્વક અને દરિદ્રોને ઉપેક્ષા પૂર્વક ઉપદેશ ન કરે. ૨૨ મજુરાજીમ” ઈત્યાદિ શબ્દાર્થ – ગgછમાણે-અનાજીનું સત્યમૃષારૂપ બીજી વ્યવહાર ભાષાને આશ્રય કરીને ઉપદેશ કરવાવાળા મુનિના વચનને અનુસરનારા કઈ મંદ અધિકારી “વિતÉ-વિતર્થ વિપરીત “વિજ્ઞાળ-વિનાનાતિ સમજે એવા અને સમ્યફ અર્થને ન જાણવાવાળા મંદ અધિકારીને “ત તા-તથા તથા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૭.

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233