________________
૮૦૭
૫૦૮
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ વિદિશાની પાંખડીઓમાં ચિંતવવાં. નમો સિદ્ધાપ પૂર્વદિશામાં નમો નારાજ પદ દક્ષિણ દિશામાં, નમો - ૩યા પદ પશ્ચિમદિશામાં નમો નો સબૂદૂપ પદ ઉત્તરદિશામાં તથા વિદિશાની ચાર પાંખડીઓમાં
અગ્નિખૂણામાં પણ પંઘ નમુક્ષરો નૈૐત્યમાં સવ્વપાવપૂVIો , વાયવ્યમાં મંતાઈ વસલ્વેસિં, ઈશાનમાં પઢમં વડું મi, આ પ્રમાણે પંચપરમેષ્ઠિ-નમસ્કારનું ધ્યાન કરવું. / ૩૪ તેનું ફલ કહે છે -- ८०६ त्रिशुद्ध्या चिन्तयंस्तस्य, शतमष्टोत्तरं मुनिः ।।
भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥ ३५ ॥ ટીકાર્થ:- મન, વચન અને કાયાની શુદ્ધિથી એકાગ્રતાપૂર્વક તેનો એકસો આઠ વખત જાપ કરનાર મુનિ ભોજન કરવા છતાં પણ એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે જ. // ૩૫ | તથા --
एनमेव महामन्त्रं, समाराध्येह योगिनः
त्रिलोक्याऽपि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥ ३६ ॥ ૮૦૮ कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रं समाराध्य, तिर्यंचोऽपि दिवं गताः ॥३७ ॥ ટીકાર્થ આ પ્રમાણે આ મહામંત્રને સારી રીતે આરાધીને યોગીપુરુષો શ્રેષ્ઠ લક્ષ્મીના અધિકારી બન્યા છતાં ત્રણે લોક વડે પૂજાય છે. હજારો પાપો કરીને, સેંકડો જંતુઓને હણીને, તિર્યંચ સરખા પ્રાણીઓ પણ આ મંત્રનું સુંદર આરાધન કરી સ્વર્ગે ગયા છે. બળદના જીવ-કમ્બલ-શમ્બલ, ક્રોધ કરનાર સિંહ, ચંડકોશિયો સર્પ ઈત્યાદિક દેવલોક ગયા છે. તે ૩૬-૩૭ || બીજા પ્રકારે પંચપરમેષ્ઠિ-વિદ્યા કહે છે -- ८०९ गुरुपंचकनामोत्था, विद्या स्यात् षोडशाक्षरा ।
जपन् शतद्वयं तस्याः, चतुर्थस्याऽऽप्नुयात् फलम् ॥ ३८ ॥ ટીકાર્ય :- ગુરુ પરમેષ્ઠિ એટલે પંચપરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થએલ “નમ:' પદ અને વિભક્તિ વગરનાં તેમનાં નામો “મસ્વિંતસિદ્ધમા૩વાસીદુ' આ પ્રમાણે સોળ અક્ષરવાળી વિદ્યાનો જાપ બસો વખત કરે, તો એક ઉપવાસનું ફળ મેળવે. || ૩૮ | તથી -- ८१० शतानि त्रीणि षड्वर्णं, चत्वारि चतुरक्षरम् ।
पंचावण जपन् योगी, चतुर्थफलमश्नुते ॥ ३९ ॥ ટીકાર્થઃ- “અરિહંત સિદ્ધ એ છ અક્ષરી વિદ્યા ત્રણસો વખત, અરિહંત' એ ચાર અક્ષરી વિઘા ચારસો વખત, મસિ ૩ એ પંચાક્ષરી વિદ્યા અથવા 4 કાર મંત્રનો જાપ કરનાર યોગી એક ઉપવાસનું ફળ મેળવે છે. અહિ ઉપવાસ માત્ર ફલ જણાવ્યું, તે સામાન્ય ભદ્રિક આત્માઓને માટે થોડું જ કહેલું છે, મુખ્ય ફળ તો સ્વર્ગ અને અપવર્ગ-મોક્ષ છે. | ૩૦ ||
એ જ કહે છે --