Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૬O યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૨ અહિંસા આદિ યમધર્મોને પામેલા પુરુષની કથા સાંભળવામાં અતિશય રસ અને પોતાના જીવનમાં પણ આવા પ્રકારના અહિંસા આદિ યમધર્મો વધારે પ્રાપ્ત થાય તેવી ઇચ્છા સ્વરૂપ ઈચ્છાયમ આ પ્રવૃત્તચક્ર યોગીઓને હોય છે. તથા યથાશક્તિ પોતે પણ અહિંસા આદિ આ પાંચ પ્રકારના યમધર્મોને સ્વીકારનારા પણ હોય છે. પાંચે યમધર્મોમાં પ્રવર્તન કરવા સ્વરૂપ પ્રવૃત્તિયમ પણ હોય છે આ પ્રમાણે અહિંસા આદિ પાંચ પ્રકારના ધર્મોનો ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ એમ બે પ્રકારના યમધર્મોરૂપે આશ્રય કરનારા આ આત્માઓ હોય છે. તેઓના જીવનમાં ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ વણાઈ ગયા હોય છે.
(૨) જે અહિંસા આદિ પાંચ પ્રકારના યમધર્મોમાં પ્રવૃત્તિ કરી છે. તેમાં કોઇપણ પ્રકારનાં વિઘ્નો ન આવે. અને કદાચ વિઘ્નો આવે તો તેઓનો પ્રતિકાર કરી આ વ્રતો પાળવામાં અત્યન્ત સ્થિર થવા સ્વરૂપ સ્થિરતાયમ અને તે સ્થિરતા દ્વારા સફળતા મેળવવા સ્વરૂપ સિદ્ધિયમ. આ બે યમધર્મો પોતાનામાં જલ્દી પ્રાપ્ત થાય એવી તીવ્ર ઝંખનાવાળા આ આત્માઓ હોય છે. આ પ્રમાણે આ પ્રવૃત્તચક્રોગિઓ પ્રથમના બે યમના આશ્રયવાળા અને પછીના બે યમના અર્થી હોય છે.
(૩) આ અહિંસા આદિ વ્રતો પાળવામાં તેના ઉપાય સ્વરૂપે પોતાની બુદ્ધિનો તેમાં સતત ઉપયોગ કરે છે. બુદ્ધિપૂર્વક આ કાર્ય કરે છે. તે બુદ્ધિના આઠગુણોનું તેમાં સતત ગુંજન કરે છે.
તે આઠગુણો શુશ્રુષા આદિ આ પ્રમાણે છે.
(૧) શુશ્રુષા = ધર્મતત્ત્વ સાંભળવાની તીવ્ર ઉત્કંઠા. જેમ તરૂણ, સુખી અને સ્ત્રીયુક્ત એવા પુરુષને કિન્નરગીત સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેનાથી પણ અનેકગણા રાગે ધર્મતત્ત્વ સાંભળવાની ઉત્કંઠા-તાલાવેલી. આ શુશ્રષા બોધપ્રવાહની સરવાણીતુલ્ય છે. તેનાથી બોધ પ્રાપ્ત થાય છે.
(ર) શ્રવણ = ઉપર કહેલી હાર્દિક શુશ્રુષા પૂર્વક ધર્મતત્ત્વ સાંભળવું.
(૩) રાહણ = વિવેક અને એક્તાનથી જે ધર્મતત્ત્વ સાંભળ્યું. તેને હદયથી ગ્રહણ કરવું. કહેનારના ભાવને-સારને બરાબર સમજવો.
(૪) ધારણ = વક્તા પાસેથી ધર્મતત્ત્વ સાંભળી તેને બરાબર સમજી લાંબા કાળ સુધી તેને સ્મૃતિગોચર રાખવું. ભૂલી ન જવું. તેના વિચારોમાંથી ચુત ન થવું.
(૫) વિજ્ઞાન = વારંવાર તેને યાદ રાખવા દ્વારા તેના સંસ્કારો અતિશય દઢ કરવા. તથા તેના સંબંધી વિશેષ બોધ મેળવવો. એટલે કે આ સાંભળેલા ધર્મતત્ત્વનો સંશય, અનવ્યવસાય અને વિપર્યય આદિ દોષોથી મુક્ત બોધ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630