Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ વિરાગની મસ્તી ૪૫ ગૌતમ બુદ્ધે કહેલા ક્ષણિકવાદ માટે પણ કહ્યું છે કે મધ્યસ્થ પુરુષોના અભિપ્રાય પ્રમાણે આ ક્ષણિકવાદ પરમાર્થ દૃષ્ટિએ કહેવામાં આવ્યો નથી, કિન્તુ મોહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. - વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યોને આશ્રયીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યો છે. શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યોને લઈને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધે કહ્યો જણાય છે. વેદાન્તમાં પણ કહ્યું છે કે, “અદ્વૈતવાદ પણ બધું એક છે એમ જણાવીને જીવોને સમભાવ પ્રાપ્ત કરાવવા માટે છે.” દા” બોલ્યા, “પ્રભો આપના દર્શનથી કેવી તટસ્થ દૃષ્ટિ! અન્ય દર્શન જેવું કદાગ્રહનું જોર આપને ત્યાં મને કયાંય જોવા જ નથી મળતું એમ કહું તો ચાલે! બધાયની વાતોના રહસ્યોને નજરમાં લાવીને આપ અપનાવી લો છો. એટલું જ નહિ પરંતુ આપનાં વચનોમાં ય કેટલી સોમ્યતા છે! દૃષ્ટિમાં કેટલું ઔદાર્ય ઉભરાયું છે! ધન્ય હો પ્રભો! આપના ઉદાર-ચરિત વીતરાગ-સર્વજ્ઞ દર્શનને, વીતરાગ સર્વજ્ઞોને ! એ સર્વજ્ઞોના વિશાળહૃદયી સંતોને!” સમય ઘણો થઈ ગયો હતો. દા' ઊભા થયા. ગુરુવર્ય “ધર્મલાભ'ની આશિષ આપી. દા' ઘેર ગયા. ઘેર જઈને જમ્યા. જમીને વામકુક્ષી કરી. આખો ય દિવસ સવારની ધર્મચર્ચાની વાતો દા'ના મનમાંથી ખસતી ન હતી. વારંવાર બોલી ઊઠે છે, અહા! કેવી પરમોદાર દૃષ્ટિ! કેવો સર્વદર્શન સમભાવ! કેવી અજાતશત્રુતા! કેવી વિશ્વમૈત્રી? કેવા હશે જગસ્વરૂપને યથાર્થ જોનારા એ વીતરાગ-સર્વજ્ઞો! કેવી હશે એમની સાધના? કેવો હશે એમનો આત્મા! આજ સુધી આ દર્શન તરફ મારી નજર જ ન ગઈ! ખેર, હવે આજથી જિનદર્શનનું સાહિત્ય વાંચું, વિચારું અને તેની વાતોને જીવનમાં ઉતારવા કોશિશ કરું. સાંજ પડી. ફરી ગુરુદેવ પાસે દા’ ગયા. જિનદર્શનનું સ્વરૂપ જાણવા માટેના સાહિત્યની નોંધ કરી લીધી દા'એ ખૂબ ખૂબ ઉપકાર માન્યો ગુરુદેવનો!

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104