________________
વિરાગની મસ્તી
સર્વનાશ કરો. અમારા રાષ્ટ્રને શત્રુભયથી મુક્ત બનાવો.”
શાબાશ શાબાશ; મારા પ્રાણપ્યારા સૈનિકો! ચાલો આપણે એ સાધના માટે સ્મશાનમાં જઈએ.”
ભીષણ મધરાત જામવા લાગી હતી. સ્મશાનમાં અનેક પ્રકારના ભયંકર અવાજો થતા હતા. શિયાલણીઓનું રુદન વાતાવરણને ભયાનક બનાવતું હતું. કેટલીકવાર કોઈ અટ્ટહાસ સંભળાતો ત્યારે તો વજછાતીઓ પણ પળભર ધ્રૂજી જતી.
બધી વ્યવસ્થા થઈ ગઈ. માંસના ટુકડાના બલિ દેવાવા લાગ્યા કે તરત આકાશમાં અગ્નિનો ભડકો થયો. પળભર તો સહુ થરથરી ગયા પણ તરત પાછા સ્વસ્થ થઈ ગયા. ભડકો હોલવાઈ ગયો.
મોહરાજે ઊભા થઈને કહ્યું, “અભિચાર મંત્ર સિદ્ધ થઈ ગયો છે. અત્યારે ધર્મરાજના નગરમાં ભારે ઉલ્કાપાત મચી ગયો હશે. કલાક-બે કલાકમાં જ ત્યાંથી આપણા જાસૂસો આવીને બધી વાત જણાવશે ત્યારે તમને ખબર પડશે કે આ મંત્ર કેવી પ્રચંડ શક્તિ ધરાવે છે?”
બહુ સમય વીતે તે પહેલાં જ મારતે ઘોડે બે માણસો આવ્યા. ઘોડા ઉપરથી ઊતરી ગયા. બળતા અગ્નિકુંડ પાસે બિરાજેલા મોહરાજને પ્રણામ કર્યા. મોહરાજે પૂછ્યું, “સુભટો, ઝટ કહો, શું સચામાર છે?''
મહારાજ! ત્યાં તો ત્રાસ ત્રાસ વ્યાપી ગયો છે! ચારે બાજુ આગ લાગી છે. લોકોના અંતરમાંય લાહ્ય લાહ્ય ઊઠી છે. રાતના બે વાગ્યા અને એકાએક હોહા મચી ગઈ. સ્ત્રીઓ-છોકરાંઓ, જુવાનિયા-બધાંય ચીસો પાડવા લાગ્યાં. બચાવો, બચાવો, બળી જાઉં છું! પાણી પાણી!” ચારે બાજુથી આવી રાડો સંભળાવા લાગી છે.
મોહરાજે પૂછ્યું, “પણ પેલી કલ્પલતાનું શું થયું?” “પ્રભો! એ પણ આ સપાટાથી મુક્ત રહી શકી નથી. ધુમાડાના ગોટેગોટા ઊંચે ગયા છે અને તે કલ્પલતાનાં પુષ્પો અને ફળોને અડી ચૂક્યા છે. અમે નિશ્ચિત માનીએ છીએ કે હવે આપણને ગુંગળાવી મારતી ફળોની ગંધ આજે નાશ પામશે. પ્રભો! હવે તો વિજય હાથવેંતમાં જ લાગે છે.''
જાસૂસોની વાત સાંભળીને બધાય તાળીઓ બજાવવા લાગ્યા! નાચવા કૂદવા લાગ્યા! મોહરાજ પણ મરક મરક હસી રહ્યા! પણ.. આ બધુંય ક્ષણજીવી હતું. દસ પંદર ક્ષણો વીતી ત્યાં એકાએક મોહરાજના શરીરને આંચકો લાગ્યો અને તે ધરતી ઉપર ઢળી પડ્યો! બાજુમાં બેઠેલા સેનાપતિઓની પણ એ જ અવદશા થઈ. થોડી