Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 104
________________ 104 વિરાગની મસ્તી મુખીની આ ભવિષ્યવાણીથી સહુના અંતર ફફડી ઊઠ્યાં! બધાયના અંતર ઘા ખાઈ ગયા! “શું કરવું?' કોઈને સમજાતું નથી. જાણે કે દરેકનું અંતર એક જ પોકાર કરી રહ્યું હતું, બસ! હવે અમારું કોઈ નથી? કિલ્લોલ કરતું આ ગામ શું વિલાસની આગોમાં ઝડપાઈ જવાનું ! પેલા શહેરીઓ અહીં ફરી જ વળવાના! અમારા સુખ અને શાન્તિની કબર ખોદાઈ જવાની! બધાયના હૈયાં ભારે થઈ ગયાં હતાં! દરેકનો પગ આજે હાથીપગ બની ગયો હતો! કોઈની આંખના આંસુ આજે સુકાતાં ન હતાં. પ્રાણ વિનાના કલેવરો શા” ગ્રામજનો ઊભા થયા. જાણે જીવતા મડદાં ઘર ભણી ઢસડાતાં હતાં! સહુના મુખ ઉપરથી એક વાત સ્પષ્ટ તરી આવતી હતી કે શેઠના મૃત્યુના દુઃખ કરતાં, દા'ના વિયોગના આઘાત કરતાં.. એમના વિનાનું જીવતર ખૂબ જ અસહ્ય હતું! એ જ વખતે એક મોટું કાળું ભમર વાદળ આકાશમાં દોડી આવ્યું. શિયાલણીઓનું રૂદન સંભળાવા લાગ્યું. પવન પડી ગયો હતો! વૃક્ષોના પાંદડાં સ્તબ્ધ બનીને ડાળને વળગી રહ્યાં હતાં! અંધકાર સર્વત્ર વ્યાપી ગયો હતો.

Loading...

Page Navigation
1 ... 102 103 104