Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 9
________________ તેમાં આચારની પ્રધાનતા જેમાં ખતાવેલ છે તેવાં આચારાંગ, દશવૈકાલિક સૂત્ર વગેરે આગમામાં અને ત્રણ -ભાષ્ય, શ્રાદ્ધવિધિ વગેરે પ્રણામાં મુખ્યત્વે ચરણકરણાનુ ચૈાગનુ વ્યાખ્યાન છે. ગણિતના વિષય જેમાં પ્રધાનતાએ દર્શાવેલ છે તેવાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ જ ખૂદ્દીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમમાં અને ક્ષેત્રસમાસ, બૃહત્સગ્રહણી, છઠ્ઠો કમ ગ્રન્થ વગેરે પ્રકરણેામાં મુખ્યત્વે ગણિતાનુયેાગનું સુંદર વ્યાખ્યાન છે. સાધકોની શ્રદ્ધાને સુદૃઢ કરવા માટે પૂના મહાપુરૂષનાં દૃષ્ટાંત જેમાં દર્શાવવામાં આવ્યાં છે એવાં જ્ઞાતાધમ કથા, ઉપાસક દશાંગ વગેરે આગમામાં અને ઉપદેશમાલા, ઉપદેશ પ્રાસાદ વગેરે પ્રકરણેામાં ધમ કથાનું વ્યાખ્યાન છે. છ દ્રવ્યો અને તેમના ગુણુ-પર્યાયાની સુંદર અને સૂક્ષ્મતાભરી છણાવટ જેમાં જોવા મળે છે એવાં સૂયગડાંગ, સમવાયાંગ વગેરે આગમામાં અને સમ્મતિતક, તત્ત્વા સૂત્ર, દ્રવ્ય-ગુણુ-પર્યાયના રાસ, નવતત્ત્વ વગેરે પ્રકરણેામાં મુખ્યતયા દ્રવ્યાનુયાગનું વ્યાખ્યાન છે. આ ચાર અનુચેગામાં અપેક્ષાએ દ્રવ્યાનુયેાગ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે જીવોને મેાક્ષપ્રાપ્તિ કેવળજ્ઞાનથી થાય છે. કેવળજ્ઞાન શુક્લ ધ્યાનથી પ્રગટે છે. શુક્લ યાન દ્રવ્યાનુયાગના ચિંતન-મનન-નિદિધ્યાસનથી સુલભ બને છે. આ જ વાત મહેાપાધ્યાય શ્રી યશેવિયજી મ. સાહેબે દ્રવ્ય-ગુણુ-પર્યાય રાસની પહેલી ઢાળની છઠ્ઠી ગાથામાં જણાવી છે. તેમજ સમ્મતિ તર્કમાં કહ્યુ છે કે: For Private & Personal Use Only Jain Educatiort International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 753