Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 7
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –આત્મના દર્શન ગુણને ઢાંકનાર કર્મ તે દર્શનાવરણ. ચક્ષુદર્શન,અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન એ ચાર મુખ્ય ભેદો વડે કહેવાયેલ અને જેના કુલ નવ ભેદો આ પૂર્વે સૂત્ર ૮:૮ સુરવર વધવાન...સૂત્રમાં વર્ણવાયા છે. તે દર્શનાવરણ કર્મ. જે મારા અંતરાય કર્મ -અંતરાય એટલે વિઘ્નકર્તા એવું જે કર્મ તે અંતરાય કર્મ. -દાન, લાભ,ભોગ,ઉપભોગ અને વીર્ય એ પાંચમાં અંતરાય કરનાર એવું જે કર્મ-આ પૂર્વે સૂત્ર-૮:૧૪ વાનાવીનામ થકી કહેવાયેલ છે, તે અંતરાય કર્મ. * ક્ષયા-ક્ષીણ થવાથી. અર્થાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય આ ત્રણે કર્મનો સર્વથા ક્ષય થવાથી. -આ ત્રણે કર્મની અનુક્રમે પાંચ, ચાર [નવું], પાંચ કર્મપ્રકૃત્તિ સર્વથા નિરવશેષ થઈ જતાં. જ ૨-મોક્ષયાત્ પદ સાથેનો સમુચ્ચય દર્શાવે છે. -અર્થાત મોહનો ક્ષય થવાથી, જ્ઞાનવરણ-દર્શનાવરણ અને અંતરાય નો ક્ષય થવાથી એમ સમજવું. જેવ૮-કેવળ કેવળજ્ઞાન અને કેવળ દર્શન. ' જ આ પૂર્વેસૂત્ર ૨:૪જ્ઞાનવર્શનીનામમા માં કહ્યા મુજબના ક્ષાયિકભાવના કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ની પ્રાપ્તિ. # મોહનો ક્ષયથતા, અને જ્ઞાનવરણ દર્શનાવરણ,અંતરાયકર્મનો ક્ષય થતાં-અર્થાતઆચાર પ્રકૃત્તિ સંપૂર્ણ-સર્વથા નિરવશેષ થઈ જતાં કેવળજ્ઞાન અને ક્વળ દર્શન ઉત્પન્ન થાય છે. આ રીતે આ ચાર કર્મપ્રવૃત્તિઓનો સર્વથા ક્ષય થવો એ કેવળજ્ઞાન-દર્શનની ઉત્પત્તિમાં હેતુ-કારણ-નિમિત્ત કે ફળ સાધન યોગ્ય પદાર્થ કહેલ છે. છે. વિશેષ સૂત્રના વિશેષ સ્પષ્ટીકરણ માટેના મુદ્દા # મોહનીય,જ્ઞાનવરણ,દર્શનાવરણ અને અંતરાય આ ચાર કર્મ પ્રકૃત્તિનો ક્ષય એ કેવળજ્ઞાન દર્શનનો હેતુ છે. # સૂત્રમાં મોક્ષયાત મોહના ક્ષય થકી એમ જે જુદુગ્રહણ કર્યું છે તે ક્રમ દર્શાવવાના હેતુથી કર્યુ છે. ૪ આરીતે અલગ પાડવાથી એમ સમજવું કે પહેલા મોહનીય કર્મનો ક્ષય થાય છે. પછી અંતર્મુહૂર્તમાં જ્ઞાનવરણ,દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મનો એક સાથે ક્ષય થાય છે. ૪ આ રીતે મોહ ક્ષયથી-જ્ઞાનદર્શનાવરણ અંતરાય ક્ષયથી જ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે. $ પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવળજ્ઞાનદર્શન અવિર્ભાવ પામે છે. - $ પ્રતિબંધક કર્મો ચાર છે જેને વ્યવહારમાં કર્મગ્રન્થ આદિના જ્ઞાતાઓ ધાતિ કર્મ રૂપે પણ ઓળખાવે છે. અને આઠકર્મની ગણતરી માં આ કર્મ-પહેલું, બીજું ચોથું અને આઠ છે. [જુઓ ..૮ ફૂ. ૫ ગાદો જ્ઞાનદર્શનાવર.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82