________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૫
અ. ૧ સૂત્ર ૬] સમ્યકત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. એ બને નયોને સમકક્ષી (સરખી હુદના ) માનવા તે મિથ્યાત્વ છે.
(૧૫) વ્યવહાર અને નિશ્ચયનું ફળ
વીતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; તેનું દષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે; તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી રૈવેયકે જાય છે, પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય શુભ અને અશુભ બન્નેથી બચાવી જીવને શુદ્ધભાવમાં-મોક્ષમાં લઈ જાય છે, તેનું દષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે કે જે નિયમો (ચોક્કસ ) મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૧૬) શાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ રીતે?
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ - જૈનશાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છેઃ નિશ્ચયનય અને વ્યવહારનય.
(૧) નિશ્ચયનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું તે; માટે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું અને
(૨) વ્યવહારનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય-જેમકે “ઘીનો ઘડો.” ઘડો તે ઘીનો નથી પણ માટીનો છે, છતાં ઘી અને ઘડો બન્ને એક જગ્યાએ રહેલાં છે તેટલું બતાવવા તેને “ઘીનો ઘડો' કહેવામાં આવે છે; એ રીતે જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં
ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે” એમ સમજવું.
બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહારકથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદિ બતાવનારૂં તે કથન છે-એમ સમજવું.
આ પ્રમાણે બને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને નયોનું ગ્રહણ છે. બન્નેને આદરવાલાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થીને જ આદરવાલાયક ગણવું જોઈએ. [ નય શ્રુતજ્ઞાનનું પડખું નિમિત્ત="હાજરરૂપઅનુકૂળ પરવસ્તુ.]
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ ૨૫૬ ના આધારે)
૧. ઉપસ્થિત; વિદ્યમાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com