________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૯-૧૦ ]
[ ૩૧૯ (૩) આકાશ પણ દ્રવ્યઅપેક્ષાએ (દ્રવ્યાર્થિકન) અખંડ, નિરંશ, સર્વગત, એક અને ભિન્નતા રહિત છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પરમાણુ રોકે તેટલા વિભાગને પ્રદેશ કહે છે; આકાશમાં કાંઈ ટુકડા નથી કે તેના ખંડ થઈ જતા નથી. ટુકડા તો સંયોગી પદાર્થના થાય; પુદ્ગલનો સ્કંધ સંયોગી છે, તેથી ટુકડા લાયક થાય ત્યારે ટુકડારૂપે તે પરિણમે છે.
(૪) આકાશને આ સૂત્રમાં લીધું નથી કેમકે તેના પ્રદેશો અનંત છે તેથી તે નવમાં સૂત્રમાં કહેશે.
(૫) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવના પ્રદેશો અસંખ્યાત છે અને તે સંખ્યામાં લોકપ્રમાણ અસંખ્યાત છે, છતાં તે પ્રદેશોની વ્યાપક અવસ્થામાં ફેર છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો આખા લોકમાં વ્યાપેલ છે (તે બારમા અને તેરમા સૂત્રમાં કહ્યું છે), અને જીવના પ્રદેશો તે તે વખતના જીવના શરીર પ્રમાણે પહોળા-ટૂંકા થાય છે. (એ સોળમા સૂત્રમાં કહ્યું છે.) જીવ કેવળસમુદ્યાત અવસ્થા ધારણ કરે ત્યારે સંપૂર્ણ લોકાકાશમાં તેના પ્રદેશો વ્યાપ્ત થાય છે, તથા બીજા સમુદ્રઘાતો વખતે તે તે શરીરમાં પ્રદેશો રહી કેટલાક પ્રદેશો બહાર નીકળે છે. (૬) સમુદ્યાતનું સ્વરૂપ પૂર્વ અ. ૧ સૂ. ૧૬ ની ટીકામાં કહેવાઈ ગયું છે. || ૮
આકાશના પ્રદેશો
ભાવશિસ્થાનત્તા:ગાઉના અર્થ-કાશચં] આકાશના [ અનંતા: ] અનંત પ્રદેશો છે.
ટીકા (૧) આકાશના બે વિભાગ છે-અલોકાકાશ અને લોકાકાશ. તેમાં લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. જેટલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે તેટલા જ લોકાકાશના છે. વળી તેઓનો વિસ્તાર એક સરખો છે. લોકાકાશ છએ દ્રવ્યોનું સ્થાન છે. આ બાબત બારમાં સૂત્રમાં કહી છે. (૨) દિશા, ખૂણા, ઉપર, નીચે એ બધા આકાશના વિભાગ છે. IT ૯ાા
પુદ્ગલના પ્રદેશો સંધ્યેયસંરક્વેયાશ્ચ પુત્રીના નામના ૬૦ ા અર્થ- [પુતાના ] પુદ્ગલોના [ સંધ્યેયસંધ્યેય: ૨] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com