Book Title: Tattvartha Sutra
Author(s): Ram Manekchand Doshi
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 684
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૬૩૦ ] [ મોક્ષશાસ્ત્ર અવલંબન પ્રગટયું નથી અને વ્યવહારને તો હેય માનીને અશુભમાં રહ્યા કરે છે તેઓ નિશ્ચયને લક્ષે શુભમાં પણ જતા નથી તો પછી તેઓ નિશ્ચય સુધી પહોંચી શકે નહીં-એ નિર્વિવાદ છે. આ શ્લોકમાં અભેદ રત્નત્રયનું સ્વરૂપ કૃદંત શબ્દો દ્વારા કર્તૃભાવ-સાધન શબ્દોનું અભેદપણું બતાવીને સિદ્ધ કર્યું. હવે આગળના શ્લોકોમાં ક્રિયાપદોદ્વા૨ા કર્તાકર્મભાવ વગેરેમાં વિભક્તિનું રૂપ દેખાડીને અભેદ સિદ્ધ કરે છે. નિશ્ચયરત્નત્રયનું કર્તા સાથે અભેદપણું पश्यति स्वस्वरूपं यो जानाति च चरत्यपि । दर्शनज्ञानचारित्रत्रयमात्मैव स સ્મૃત:।।૮।। અર્થ:- જે નિજસ્વરૂપને દેખે છે, નિજસ્વરૂપને જાણે છે અને નિજસ્વરૂપ અનુસાર પ્રવૃત્તિ કરે છે તે આત્મા જ છે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેરૂપ આત્મા જ છે. કર્મરૂપ સાથે અભેદપણું पश्यति स्वस्वरुपं यं जनाति च चरत्यपि । दर्शनज्ञानचारित्रत्रयमात्मैव તન્મય:।। ૧|| અર્થ:- જે પોતાના સ્વરૂપને દેખવામાં આવે છે, પોતાના સ્વરૂપને જાણવામાં આવે છે અને પોતાના સ્વરૂપને ધારણ કરવામાં આવે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે, પરંતુ તન્મય આત્મા જ છે તેથી આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે. ક૨ણરૂપની સાથે અભેદપણું दृश्यते येन रूपेण ज्ञायते चर्यतेपि च । दर्शनज्ञानचारित्रत्रयमात्मैव तन्मयः ।। १० ।। અર્થ:- જે નિજસ્વરૂપ દ્વારા દેખવામાં આવે છે. નિજસ્વરૂપ દ્વારા જાણવામાં આવે છે અને નિજસ્વરૂપ દ્વારા સ્થિરતા થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે કોઈ જુદી ચીજ નથી, પણ તન્મય આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે. સંપ્રદાનરૂપની સાથે એભદપણું यस्मै पश्यति जानाति स्वरूपाय चरत्यपि। दर्शनज्ञानचारित्रत्रयमात्मैव તન્મય:।। ?? || અર્થ:- જે સ્વરૂપની પ્રાપ્તિને માટે દેખે છે. જે સ્વરૂપની પ્રાપ્તિને માટે જાણે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710