________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૬ સૂત્ર ૧૪ ]
[ ૪૧૯
ચારિત્રમોહના આસ્રવનું કા૨ણ
कषायोदयात्तीव्रपरिणामश्चारित्रमोहस्य ।।१४।।
અર્થ:- [ષાયણવયાત્] કષાયના ઉદયથી [તીવ્ર પરિણામ: ] તીવ્ર પરિણામ થાય તે [ ચારિત્રમોહત્સ્ય] ચારિત્રમોહનીયના આસ્રવનું કારણ છે.
ટીકા
૧. કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આવી ગઈ છે. ઉદયનો અર્થ વિપાક-અનુભવ છે. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને જેટલો રાગ-દ્વેષ કરે તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો એમ કહેવાય. કાયકર્મના ઉદયમાં જોડાતાં જીવને તીવ્રભાવ થાય તે ચારિત્રમોહનીયકર્મના આસવનું કારણ (નિમિત્ત ) છે એમ સમજવું.
૨. ચારિત્રમોહનીયના આસવનું આ સૂત્રમાં સંક્ષેપથી વર્ણન છે; તેનો વિસ્તાર નીચે પ્રમાણે છે
(૧) પોતાને તથા ૫રને કષાય ઉપજાવવો;
(૨) તપસ્વી જનોને ચારિત્રદોષ લગાડવો;
(૩) સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વેષ-વ્રત વગેરે ધારણ કરવા; એ વગેરે લક્ષણવાળા પરિણામ કષાય કર્મના આસ્રવનું કારણ છે.
(૧) ગરીબોનું અતિહાસ્ય કરવું;
(૨) ઘણો વૃથા પ્રલાપ કરવો;
(૩) હાસ્યસ્વભાવ રાખવો;
એ વગેરે લક્ષણવાળા પરિણામ હાસ્યકર્મના આસવનું કારણ છે. (૧) વિચિત્ર ક્રીડા કરવામાં તત્પરતા હોવી;
(૨) વ્રત–શીલમાં અરુચિપરિણામ કરવા;
એ વગેરે લક્ષણવાળા પરિણામ રતિકર્મના આસ્રવનું કારણ છે. (૧) પરને અરિત ઉપજાવવી;
(૨) ૫૨ની રતિનો વિનાશ કરવો;
(૩) પાપ કરવાનો સ્વભાવ હોવો;
(૪) પાપનો સંસર્ગ કરવો;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com