Book Title: Tattvartha Sutra
Author(s): Ram Manekchand Doshi
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 674
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૦ ] [ મોક્ષશાસ્ત્ર કર્મત્વ એક જાતિ છે, તે સામાન્ય હોવાથી ધ્રુવ છે. તેથી તેની ગમે તેટલી પર્યાયો બદલે તોપણ તે સર્વે કર્મરૂપ જ રહેશે. જે સ્વભાવનું જે હોય તે તે જ સ્વભાવનું હંમેશાં રહે છે. જીવ પોતાના ચૈતન્યસ્વભાવને છોડતો નથી અને પુદગલો પોતાના રસ, રૂપાદિ સ્વભાવને છોડતાં નથી. આ રીતે જ્યારે બીજાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવને છોડતા નથી તો પછી કર્મદ્રવ્ય પણ પોતાના કર્મ–સ્વભાવને કેમ છોડે? ઉપરની શંકાનું સમાધાન આ પ્રમાણે છે-કર્મનો સંબંધ જો કે અનાદિથી છે પરંતુ તે અનાદિ સંબંધ તેને તે જ (Identical) રજકણોનો નથી, પણ એકેક કર્મનો સંબંધ કેટલીક મુદત સુધી જ રહે છે. એકેક કર્મની ઉત્પત્તિનો પણ કોઈને કોઈ સમય હોય છે અને તેના છૂટવાનો પણ નિયત સમય હોય છે. એટલું ખરું છે કે, જીવને વિકારી અવસ્થામાં કોઈને કોઈ કર્મનો સંયોગ ચાલુ રહે છે. સંસારી જીવોને વિકારી અવસ્થા અનાદિથી થઈ રહી છે, તેથી કર્મનો સંબંધ કોઈ નિયતકાળથી થયો નથી તે કારણે તે અનાદિ છે. આ તો સમુચ્ચય કર્મની અપેક્ષાએ વાત છે પણ કોઈ એક કર્મ અનાદિકાળથી જીવની સાથે લાગેલું ચાલુ છે- એવો તેનો અર્થ નથી. આ રીતે, એકેક કર્મના સંબંધની અવધિ-મર્યાદા છે, તેમ જ જે રીતે ઉત્પત્તિનો વખત હોય છે તેમ તેના નાશનો પણ વખત હોય છે, કેમ કે જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય જ. જ્યારે કર્મોનો વિયોગ થાય ત્યારે જ જીવ નવીન કર્મોનું બંધન ન થવા દે તો કર્મનો સંબંધ નિર્મળ નષ્ટ થઈ શકે છે. આથી એ તાત્પર્ય સિદ્ધ થયું કે જાદી જાદી ચીજોનો સંબંધ અનાદિ કાળથી હોય તો પણ તે નષ્ટ થઈ શકે છે. તેનું ઉદાહરણ પણ મળે છે-બીજ–વૃક્ષનો સંબંધ સંતતિ પ્રવાહપણે અનાદિથી છે. કોઈ પણ બીજ પોતાથી પર્વના વક્ષ વગર પેદા થઈ શકતું નથી અને વૃક્ષ પોતાથી પૂર્વના બીજ વગર હોતું નથી. બીજનું ઉપાદાનકારણ પૂર્વ વૃક્ષ કહી શકાય અને પૂર્વ બીજ પણ કહી શકાય. પ્રત્યેક બીજના પૂર્વમાં કોઈને કોઈ ઉપાદાન હોય છે; એ રીતે બીજ–વૃક્ષની અથવા તો બીજ-બીજની સંતતિ અનાદિ થઈ જાય છે. એ સંતતિ અનાદિ હોવા છતાં પણ તે સંતતિના અંતિમ બીજને જો પીસી નાંખે અગર બાળી નાંખે તો તેનો સંતતિપ્રવાહ નષ્ટ થઈ જાય છે. એવી રીતે કર્મોની સંતતિ અનાદિ હોવા છતાં પણ કર્મનાશના પ્રયોગોદ્વારા પૂર્વોપાર્જિત કર્મોમાંથી અંતિમ રહેલાં કર્મોનો નાશ કરી દેવામાં આવે તો પછી તેની સંતતિ નિઃશેષ નષ્ટ થઈ જાય છે. પૂર્વોપાર્જિત કર્મોના નાશનો અને નવાં કર્મોની ઉત્પત્તિ ન થવા દેવાનો ઉપાય સંવર-નિર્જરાપ્રકરણમાં (નવમા અધ્યાયમાં) જણાવ્યો છે. આ ઉત્તરથી “કર્મોનો સંબંધ જીવથી કદી છૂટી ન શકે ” એવો શંકાનો પહેલો પ્રકાર દૂર થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710