Book Title: Tattvartha Sutra
Author(s): Ram Manekchand Doshi
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 663
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧૦. સૂ. ૨ ] [ ૬૦૯ જ નહિ. કેમકે એવો નિયમ છે કે જે સમયે જે જીવ પોતાના ઉપાદાનની જાગૃતિથી ધર્મ પામવાની યોગ્યતા મેળવે તે સમયે તે જીવને એટલા પુણ્યનો તો સંયોગ હોય જ કે જેથી તેને ઉપદેશાદિક યોગ્ય નિમિત્ત (-સામગ્રી) સ્વયં આવી મળે જ. ઉપાદાનની પર્યાયનો અને નિમિત્તની પર્યાયનો એવો જ સહજ સ્વાભાવિક નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. જો આમ ન થતું હોય તો જગતમાં કોઈ જીવ ધર્મ પામી શકે જ નહિ. અર્થાત્ બધા જીવો દ્રવ્યદૃષ્ટિએ પૂર્ણ હોવા છતાં પોતાનો શુદ્ધપર્યાય પ્રગટ કરી શકે જ નહિ, તેમ થતાં જીવોનું દુઃખ કદી ટળે નહિ અને સુખસ્વરૂપે તેઓ કદી થઈ શકે નહિ. ૩. જગતમાં જો કોઈ જીવ ધર્મ ન પામી શકે તો તીર્થકર, સિદ્ધ, અરહિત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં રહેતા ઉપદેશક એ વગેરે પદો પણ જગતમાં રહે નહિ; જીવની સાધક અને સિદ્ધ દશા પણ રહે નહિ, સમ્યગ્દષ્ટિની ભૂમિકા જ પ્રગટ થાય નહિ, તેમ જ તે ભૂમિકામાં થતો ધર્મ પ્રભાવનાદિનો રાગ-પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યગ્દષ્ટિને લાયક દેવગતિ-દેવક્ષેત્રો એ વગેરે વ્યવસ્થાનો પણ નાશ થાય. (૩) આ ઉપરથી એમ સમજવું કે જીવના ઉપાદાનના દરેક સમયના પર્યાયની જે પ્રકારની યોગ્યતા હોય તે મુજબ તે જીવને તે સમયે યોગ્ય નિમિત્તનો સંયોગ સ્વયં મળે છે- એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ તેરમા ગુણસ્થાનની હૈયાતિ સિદ્ધ કરે છે; એક બીજાનાં કર્તારૂપે કોઈ છે જ નહિ, તેમ જ ઉપાદાનની પર્યાયમાં જે સમયે લાયકાત હોય તે સમયે તેને નિમિત્તની રાહ જોવી પડે એમ પણ નથી; બન્નેનો સહજપણે એવો જ મેળ હોય જ છે. તે જ નિમિત્તનૈમિત્તિકભાવ છે, છતાં બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. નિમિત્ત પરદ્રવ્ય છે તેને જીવ મેળવી શકે નહિ, તેમ જ તે નિમિત્ત જીવમાં કાંઈ કરી શકે નહિ, કેમ કે કોઈ દ્રવ્ય પરદ્રવ્યની પર્યાયનું કર્તાહર્તા નથી. આ ના મોક્ષનું કારણ અને લક્ષણ बंधहेत्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मावप्रमोक्षो मोक्षः।।२।। અર્થ- [ વધતુ 31માવ ] બંધનાં કારણો (–મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ) નો અભાવ તથા [ નિર્નરમ્યાં નવિપ્રોક્ષો] નિર્જરા વડે સમસ્ત કર્મોનો અત્યંત નાશ [ મોક્ષ: ] તે મોક્ષ છે. ટીકા ૧. કર્મ ત્રણ પ્રકારનાં છે. – (૧) ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ અને (૩) નોકર્મ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710