________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૧ ]
[ ૫૦૧ બેઇઢિયાદિ જીવો ગમનાદિ ક્રિયા કરે છે તો પણ તેમને અલ્પ યોગ હોય છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે યોગ તે બંધનું ગૌણકારણ છે, તે તો પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ છે. બંધનું મુખ્ય કારણ તો મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ અને કષાય છે અને તે ચારમાં પણ સર્વોત્કૃષ્ટ કારણ તો મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ટાળ્યા વિના અવિરતિ આદિ બંધનાં કારણો ટળે જ નહિ-એ અબાધિત સિદ્ધાંત છે.
૧૪. કયા ગુણસ્થાને કયા બંધ હોય? મિથ્યાદષ્ટિ (ગુણસ્થાન-૧) ને પાંચે બંધ હોય છે, સાસાદન સમ્યગ્દષ્ટિ, સમ્યમિથ્યાષ્ટિ અને અસંયત સમ્યગ્દષ્ટિ (ગુણસ્થાન ૨-૩-૪) ને મિથ્યાત્વ સિવાયના અવિરતિ આદિ ચારે બંધ હોય છે, દેશસંયમી (ગુણસ્થાન-૫) ને અંશે
અવિરતિ તથા પ્રમાદાદિ ત્રણે બંધ હોય છે, પ્રમત્ત સંયમી (ગુણસ્થાન–૬) ને મિથ્યાત્વ અને અવિરતિ સિવાયના પ્રમાદાદિ ત્રણ બંધ હોય છે, અપ્રમત્ત સંયમીને (ગુણસ્થાન ૭ થી ૧૦ સુધી) કષાય અને યોગ એ બે જ બંધ હોય છે. ૧૧-૧૨ ને ૧૩ માં ગુણસ્થાને એક માત્ર યોગનો સદ્દભાવ છે અને ચૌદમા ગુણસ્થાને એક પ્રકારનો બંધ નથી; તે અબંધ છે અને ત્યાં સંપૂર્ણ સંવર છે.
૧૫. મહાપાપ પ્રશ્ન- જીવને સૌથી મહાન પાપ કયું?
ઉત્તર- મિથ્યાત્વ એક જ. મિથ્યાત્વ હોય ત્યાં અન્ય સર્વે પાપોનો સદ્દભાવ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી.
૧૬. આ સૂત્રનો સિદ્ધાંત આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વ ટાળતાં તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમ જ એકતાલીસ પ્રકૃતિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીના કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરની રહી જાય છે, અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો અભાવ કર્યા સિવાય અન્ય અનેક ઉપાય કરવા છતાં મોક્ષ કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સૌથી પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારથી ઉધમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો યોગ્ય છે. || ૧ાા
બંધનું લક્ષણ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादते सबंधः।।२।। અર્થ-[ નીવ: સાયન્ધાત્] જીવ કપાય સહિત હોવાથી [ કર્મળ: યોગ્યાન]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com