________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૪ સૂત્ર ૪-૫ ]
[ ૨૭૩
ટીકા
૧. ઇન્દ્ર = જે દેવ બીજા દેવોમાં નહિ રહેતી એવી અણિમાદિક ઋદ્ધિઓથી સહિત હોય તેને ઇન્દ્ર કહેવાય છે, તે દેવ રાજા સમાન હોય છે. [ like a king ] ૨. સામાનિક જે દેવનું આયુષ્ય, વીર્ય, ભોગ, ઉપભોગ વગેરે ઇન્દ્રસમાન હોય છે, તોપણ આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે તે સામાનિક કહેવાય છે, તે દેવ પિતા કે ગુરુતુલ્ય હોય છે. [ like father, Teacher ]
=
૩. ત્રાયત્રિંશ
=
જે દેવ મંત્રી–પુરોહિતના સ્થાન ઉપર હોય છે તેને ત્રાયત્રિંશ કહેવામાં આવે છે. એક ઇન્દ્રની સભામાં આવા દેવો તેત્રીસ જ હોય છે. [ ministers ] ૪. પારિષદ જે દેવ ઇન્દ્ર ની સભામાં બેસવાવાળા હોય છે તેને પારિષદ કહેવામાં આવે છે. [courties ]
=
૫. આત્મરક્ષ = જે દેવ અંગરક્ષક સમાન હોય છે તેને આત્મરક્ષક કહેવામાં આવે છે. [ Body guards ]
નોંધ:- જોકે દેવોમાં ઘાત વગેરે હોતું નથી તોપણ ઋદ્ધિ-મહિમાને અર્થે આત્મરક્ષક દેવો હોય છે.
૬. લોકપાળ = જે દેવ કોટવાળ (ફોજદા૨) ની માફક લોકનું પાલન કરે તેને લોકપાળ કહેવામાં આવે છે. [ police ]
૭. અનીક = જે દેવ પાયદળ વગેરે સાત પ્રકારની સેનામાં વિભક્ત રહે છે તેને અનીક કહેવામાં આવે છે. [ army ]
=
જે દેવ નગરવાસી સમાન હોય તેને પ્રકીર્ણક કહેવામાં આવે
૮. પ્રકીર્ણક છે. [ people ]
૯. આભિયોગ્ય = જે દેવ દાસોની માફક સવારી આદિમાં કામ આવે તેને
આભિયોગ્ય કહેવાય છે. આ પ્રકારના દેવો ઘોડા, સિંહ, હંસ વગેરે પ્રકારના વાહનોરૂપે (બીજા દેવોના ઉપયોગ માટે) પોતે પોતાને બનાવે છે. [conveyances ]
=
૧૦. કિક્વિત્રિક જે દેવ ચાંડાળાદિની માફક હલકું કામ કરવાવાળા હોય તેને કિક્વિષિક કહેવામાં આવે છે. [ servile grade ]॥ ૪॥
વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઇન્દ્ર વગેરે ભેદોની વિશેષતા त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः।। ५ ।।
અર્થ:- ઉ૫૨ જે દસ ભેદો કહ્યા તેમાંથી ત્રાયશ્રિંશ અને લોકપાળ એવા ભેદો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com