________________
(૧૧૭ ) આખું જગત શુન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.
કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાઈને પિતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવાગ્યા નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તે જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવે છે. તેને પૈણુ કરીને એટલે તેના વિના કેઈ કંઈ પણ જાણવા ઈચ્છે છે તે બનવા ગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એ જે પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે.
પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવન જ્ઞાયકપણું નામને ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કેઈ પણ પદાર્થને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org