________________
( ૨૩૮ )
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે :
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કર ગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદ્દગુરુને શોધ કરે શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાને અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણુ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સેતુ” મળ્યા નથી, “સત’ સુપ્યું નથી, અને સ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org