Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 297
________________ ( ૨૮૦ ) - પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તેને પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાઘકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સસમાગમ અથવા ગુરુને યોગ બને, અને તે પણ કવચિત બને. ચેથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરૂ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્દગુરૂ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ કવચિત્ સત્સમાગમને વેગ બને તે પણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથા માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પિતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. તે ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કહે છે, અથવા બાહ્યક્રિયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306