________________
[૫૪]
વર્ષ રર મું]
નિગ્રંથ મહાત્માઓને નમસ્કાર
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સપુષે એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહીં.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તો સે નિષ્ફળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org