Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
આસ્વપ્રયત્ન સમાન હોવાથી પરસ્પર સજાતીય છે. એજ રીતે વર્ણના ૧૮ ભેદ છે. તે દન્તસ્થાન અને વિસ્તૃતકરણરૂપ આસ્વપ્રયત્ન સમાન હોવાથી પરસ્પર સજાતીય છે. સધ્યક્ષરોમાં હસ્વ નથી એટલે એના ૧૮ ભેદ ન થતાં ૧૨ ભેદ થાય છે. તે આ રીતે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત = ૩, તે દરેક સાનુનાસિક અને નિરનુનાસિક હોવાથી ૩X ૨૦ ૬ ભેદ થાય. આ ૬ભેદ દીર્ધ અને ૬ ભેદ ડુત કુલ ૧૨ ભેદ થાય છે. ત્યાં કારના ૧૨ ભેદો તાલુસ્થાન અને વિવૃતકરણ રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી પરસ્પર સજાતીય છે. એજ રીતે જે કારનાં ૧૨ ભેદો તાલુસ્થાન અને અતિવિવૃતતરકરણ રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી પરસ્પર સજાતીય છે. એજ રીતે શો કારના ૧૨ ભેદો ઓસ્થાન અને વિવૃતકરણ રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી પરસ્પર સજાતીય છે. એજ રીતે ગો કારનાં ૧૨ ભેદો ઓષ્ઠસ્થાન અને અતિવિવૃતતરકરણરૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી પરસ્પર સજાતીય છે. સ્વરોનાં કુલ ૧૩૮ ભેદો થાય છે.
વ્યંજનોની પરસ્પર સ્વ સંશાછ વર્ગના પાંચ વર્ણો કઠસ્થાન અને સ્પષ્ટતા રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી તે પાંચ પરસ્પર સજાતીય છે. એજ રીતે ૨ વર્ગના પાંચવર્ણો તાલુસ્થાન અને સ્પષ્ટતા રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી તે પાંચ પરસ્પર સજાતીય છે. એજ રીતે ટ વર્ગના પાંચ વર્ણો મૂર્ધસ્થાન અને સ્પષ્ટતા રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી તે પાંચ પરસ્પર સજાતીય છે. એજ રીતે ત વર્ગના પાંચ વર્ગો દત્તસ્થાન અને સ્પષ્ટતા રૂપે આસ્યપ્રયત્ન સરખાં હોવાથી તે પાંચ પરસ્પર સજાતીય છે. એજ રીતે પ વર્ગના પાંચ વર્ણો ઓષ્ઠસ્થાન અને સ્પષ્ટતા રૂપ આસ્વપ્રયત્ન સરખાં હોવાથી તે પાંચ પરસ્પર સજાતીય છે.