________________
: ૧૨૫ :
બીજું મૃષાવાદ વિરમણ-કન્યા, પશુ, ભૂમિ, થાપણ, અને કુડી શાખ ન ભરવી તે પાંચ મોટાં જુઠાં વજેવાં તે.
ત્રીજુ અદત્તાદાન વિરમણ-ખાતર પાડવું પડાવવું, ગાંઠ છેડવી, ખીસા કાતરવાં, તાળું ભાંગવું, લૂંટ કરવી, પડેલી ચીજ લેવી, અને રાજ્યને દંડ ઉપજે તે.
ચેાથે મૈથુન વિરમણ-સ્વદારા સંતોષ, પરસ્ત્રી ગમન ત્યાગ, તેમ તીર્થંચ નપુંશકાદિકને ત્યાગ તે.
પાંચમું પરિગ્રહ વિરમણ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, સોનું, રૂપુ, બીજી ધાતુ, દ્વિીપદ, અને ચપદ વિગેરેને ત્યાગ તે.
છઠું દિશી પરિમાણ–દશે દિશામાં જવા આવવાના નિઅમે તેમ કાગળ, તાર, માણસો મોકલવા વિગેરે તે.
સાતમું ભેગેપભોગ પરિમાણુ–ગ તે એકજવાર ભેગાવી શકાય તે, અને ઉપભગ તે વારંવાર ભેગવાય તે–તેના માટે ચાદ નિયમ ધારવા તે ચાદ આંકમાં જોઈ લ્ય.
આઠમું અનર્થ દંડ વિરમણ—જેના લીધે વિના કારણે પાપ બંધાય તેવા કોઈ પણ કાર્યો કરવાં નહી તે.
નવમું સામાયિક વ્રત–રાગ દ્વેષને અભાવ અને સમ ભાવની બુદ્ધિ ધારણ કરાય તે.
દશમું દેશાવગાસિક ગ્રત–છઠ્ઠા વ્રતમાં ધારેલ તેને કાંઈ સંક્ષેપ કર, તેમ દશ સામાયકનું પણ દેશાવગાસિક વ્રત થઈ શકે છે.
અગિયારમું પાષધ રત–જે શુભ કરણીથી જ્ઞાન, દર્શન ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણોને પુષ્ટિ મળે તે.
બારમું અતિથી સંવિભાગ–ચોવિહાર ઉપવાસના પારણે એકાસણું કરી જિન પૂજા કરી મુનિરાજને વહોરાવી જમવું તે અથવા પિષધ વિના પણ મુનિરાજને વહોરાવી જમવું તેમ થાય છે. તેમ મુનિના અભાવે ઉત્તમ સાધમી ભાઈને જમાડી જમવું તેમ પણ થઈ શકે છે.
આ સામાન્ય વિધિ છે, વિશેષ વિસ્તારથી બારવ્રતની ટીપ આદિકથી જાણી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org