________________
: ૧૯૩ :
સ્વદેશ લઇ ગયેા, ત્યાં ધર્મપ્રચારકાની પ્રેરણાથી સિદ્ધગિરિના ઉદ્ધારના અભીગ્રહ, તેમ તેમનુ તપવિધિયે ચકેશ્વરી દેવીનું આરાધન, દેવીનું પ્રસન્ન થવું, ત્યાંથી તક્ષશીલા ( ગીજની ) ગયા. ત્યાંના રાજા જગન્મદ્યને સારી ભેટ કરી. દેવીના કહેવા પ્રમાણે શ્રી આદીશ્વર ભગવાન્ અને પુંડરકજી મેળવી ત્યાંથી મધુમતી આવ્યા, શહેરને ફરીથી વસાવી આખાદ કર્યું, એ અરસામાં પ્રથમે તેમના ૧૮ વાહાણા માર વર્ષથી દેશાવર ગએલા તે ઘણું દ્રવ્ય મેળવી આવ્યાની વધામણી સાંભળી, તેજ વખતે ખાળબ્રહ્મચારી યુગપ્રધાન શ્રી વાસ્વામી મહારાજ પધાર્યા, તે સાંભળી મહારાજનું બહુ ઠાઠથી સામૈયુ કર્યું . મહારાજશ્રીના ઉપદેશથી ઉદ્ધારનુ નક્કી કર્યું, અને ગુરૂમહારાજ સાથે શ્રી સિદ્ધાચળજીને માટે સઘ કાઢ્યો, ત્યાં આવી નવીન મંદિર અનાવરાવ્યું, અને તક્ષશીલાથી લાવેલ શ્રી આદીશ્વર ભગવાન્ અને પુંડરિકજી તેમ બીજી પ્રતિમાએ પણ ગુરૂમહારાજના હસ્તક પધરાવી. શ્રી ગિરિરાજના ઓગણીસ લાખ સેાનૈયાના ખરચે તેરમે ઉદ્ધાર કર્યો, તે વિક્રમ સ૦ ૧૦૮ની શાલ હતી, આજ ઉદ્ધારમાં શેઠ-શેઠાણી ધ્વજાદંડ ચડાવતાં ઘણી ઉત્તમ ભાવનામાં મગ્ન થયાં થકા ત્યાં એકાએક હૃદય અંધ થયુ, ને ત્યાંથી અદૃશ્ય થયાં ને ગયાં તે ગયાં. ઉપરથી ઊતર્યા નથી. આ શિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યમાં તેમ સાધર્મીક વાત્સલ્યમાં પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે, તેમના પુત્ર જાઝનાગે ઇ॰ સ૦ ૫૫ માં શ્રી ગિરનારજીના ઉદ્ધાર તેમ બીજા પણ ઘણા ઉત્તમ ધર્મ કાર્યો કર્યા છે, ધન્ય છે આવા ભાગ્યશાળીયાને.
વીમળશા
વનરાજ ચાવડાના સેનાપતિ હિર તેમના પુત્ર વીરશા તેમની સ્ત્રી વીરમતિની કુખથી વિમળશાના જન્મ થયેા, તે ઉમરલાયક થતા પહેલાં પિતા દેવલાક થયા, પિતાના સહેવાસથી વિમળશાની ધર્મ પર અડક શ્રદ્ધા હતી, દુષ્મનેાના ડરથી માતા પુત્રને લઈ પીયરમાં જઇ રહ્યા, ત્યાં રહી વિમળે ખાણ વિદ્યામાં ખ્યાતી મેળવી, પાટણના નગરશેઠ શ્રીદત્તની શ્રીનામે કન્યા સાથે સગપણ થયું,
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org