________________
શોધ-ખોળની પગદંડી પર
૧૫૫
‘હે વિગ્રહરાજ, જે દિવસોએ ધર્મ કરીએ તે જ જિંદગીનાં દિવસો ધન્ય થયા. હૈ શાકંભરિના ધણી, તે સિવાયના દિવસો જુગારમાં હારી ગયા હોવાનું તું જાણજે.' તેજે-માહિ જિમ તરણિ, સાવજ-ઊપમ સીહ,
(૫૨)
તિમ ગુણ-માહિ દાન-ગુણ, લામાં દીજઇ લીહ.
જેમ તેજસ્વીઓમાં સૂર્ય અને શ્વાપદોમાં—જંગલી પશુઓમાં ઉત્તમની ઉપમા સિંહ, તેમ સર્વ ગુણોમાં ઉત્તમ દાનગુણ : બીજા ઊતરતા ગુણો ૫૨ ચોકડી મારવી.’
(૫૩)
‘તે જ માણસ અમૂલ્ય છે, જેનામાં દાનનો ગુણ છે. એ ગુણનું ફૂલ આ જગતમાં જશ અને એનું ફળ પરલોકમાં હોવાનું જાણવું.’
માણસ તે જિ અમૂલુ, દીસઇ જેહં દાન-ગુણ, ફલ પર-લોઇહિં ફૂલુ, જસુ જગમાહિં જાણિવઉં.
(૫૪) ઇમઇ વેસા બાપડી, ફૂડઉ કંકણવાઉ,
અત્ય-વિણાં કુલવહૂ, ઢીલા ધોઅઇ પાઉ.
બિચારી વેશ્યા અમસ્તી જ વગોવાય છે (?). કુલવધૂ પણ જો ધણી નિર્ધન હોય તો તેના પગ જેમ તેમ ધુએ છે.'
(૫૫)
વચન-વિનાણિ પતીજઇ, હિઅઉં કુસુધઉં જાહં,
સાદુ ભણઇ સાવજ પણઇં ભંનુ મ રાચૌ તાહં (?).
જેમનું હૈયું મેલું હોય તેમને વચનની કળાથી પતીજ કરાવવી - સમજાવવા. સાદુ (?) કવિ કહે છે કે તેમનું ભલું ચાહતા હો તો તેમની સાથે બળજભરી ન કરવી (?).’
(૫૬)
અંબા-જંબૂ-વયરિયહં, એ ત્રિષ્ટિ એક સહાઉ,
મુખિહિં અતિ મીઠા સદા, હીઇ ન છંડઇ કસાઉ.
‘આંબા, જાંબૂ અને વેરી - એ ત્રણેયનો એકસરખો સ્વભાવ : મોંએ (ઉપરથી) હંમેશાં અતિશય મીઠા, પણ અંદરથી કષાય (તૂરાશ, ખાર) ન ત્યજે.'
(૫૭) ચંપા-ચંદન-સુપુરિસહં, એ ત્રિહિં એક સહાઉ, વિરે આપણ પંથા સચઇ (?) નિંગ લેઇ જસવાઉ.
ચંપા, ચંદન અને સજ્જન – એ ત્રણેયનો એક સરખો સ્વભાવ ઃ પોતે .(?) વાહવાહ પ્રાપ્ત કરવી.'
પ્રીતિ ન પ્રાણિ હોઇ, પ્રીતિ ન પરિભવ સાંસઇ,
કરીને પણ જગતમાં જશવાદ
(૫૮)
1