Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૬ શોધ-ખોળની પગદંડી પર પણ એકવાક્યતા ઘણી વાર નથી જોવા મળતી. પ્રથમ એકવચન જે બોલી-પ્રદેશમાં મા પ્રત્યયવાળું હતું તે પ્રદેશનો આ પાઠ છે. બીજું, જયારહ પાઠ ભ્રષ્ટ છે. તેને સ્થાને કાય-દેહ ને સ્થાને અહીં છજ્જઈ છે. એ પાઠમાં, સંદર્ભથી સમજાઈ જતું જે અનુક્ત રાખ્યું છે તે ખુલ્લું વ્યક્ત થયું છે. એટલે એને પાછળનો પાઠ ગણી શકીએ આમ ढोल्ला सामला (3 ठोल्लउ सामलउ), धण चंपावन्नी । નાડું ખાય-રે, સવક્ર ત્રિી II એવા પાઠમાં છંદની અશુદ્ધિ રહેતી નથી. ૯ +૧૦, ૯ +૧૦ માત્રાના માપવાળી આ મલયમારુત નામના છંદની આંતરસમા ચતુષ્પદી છે. અહીં મલયમાતનાં અપભ્રંશ છંદશાસ્ત્રોમાંથી બીજાં ઉદાહરણ પણ જોઈએ. સ્વયંભૂછંદ નું મલયમાતનું ઉદાહરણ : गोरी अंगणे, सुप्पंती दिट्ठा । વં ગપ્પી, ગોષ્ટ વિ વ્યિg II (સ્વછે. ૬ - ૪૨, ૯૯) (“સ્વંયભૂછંદ' માં વિરબ્રિટ્ટા પાઠ ભ્રષ્ટ છે.) આંગણામાં સૂતેલી ગોરીને જોઈ એટલે પછી ચંદ્રને પોતાની જ્યોસ્નિા પણ અબખે પડી.” છંદોનુશાસન'નું ઉદાહરણ : વિવિ વેડી, મન-મા-ઘુમા સુવિ હી, ifથમ-સત્ય મુગા | (છંદો ૬-૧૯, ર” મલયાવને કંપતી વેલડીને જોઈને પોતાની ગોરી સાંભરી આવતાં પથિકો મરણશરણ થયા.” “કવિદર્પણ' (૧૩મી શતાબ્દી લગભગ)માં આપેલું મલયમાતનું ઉદાહરણ (“કોઈકનું છે એવા ઉલ્લેખ સાથે) પણ જોઈએ: तत्ती सीयली, मेलावा केहा । ઘઇ ૩ત્તાવતી, પ્રિય-મંદ્ર-રસોઈ In (વેલણકર-સંપાદિત, પૃ. ૨૩, ૧૪-૨) તત અને શીતલ વસ્તુ વચ્ચે મેળાપ ક્યાંથી હોય? નાયિકા ઉતાવળી, પણ નાયકનો સ્નેહ મંદ'.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222