Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 361
________________ 352 શ્રી ક્ષતિના ચરિત્ર. ૌરવ કરે છે, તેનું શું કારણ હશે? અથવા તે આ જગતમાં જેની પાસે જેટલું લેણું હોય તેટલું તેની પાસેથી નિર્ગુણ મનુષ્ય પણુ પામેજ છે.” આ પ્રમાણે મહીપાળ વિચાર કરતો હતો, તેવામાં રાજા તે સર્વ કુટુંબને મનહર આસન ઉપર ભોજન કરવા બેસાડી તેમની સન્મુખ મેટે થાળ મંગાવી પોતે પણ તેમની સાથેજ ઉચિત આસન પર બેઠે. ત્યારપછી રાજના હકમથી શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરતી સતી શીળમતી પિાતેજ તેઓને અનેક પ્રકારના શ્રેષ્ઠ ભેજન પીરસવા લાગી. ત્યારે રાજાએ તેને કહ્યું કે “હે પ્રિયા ! ઘણું કાળના ચિંતવેલા તારા સર્વે મને રથ આજે હવે સફળ કર.” * ત્યારપછી ભેજન કરીને સર્વ ઉડ્યા. રાજાએ પિતાના પિતાને ઉત્તમ સિંહાસન પર બેસાડી ભાઈઓને પણ ઉચિત આસને બેસાડી તથા માતા અને ભાભીઓને યોગ્ય આસને બેસાડી પિતાને પ્રણામ કરીને કહ્યું કે–“હે પિતા ! જે હું તે વખતે તમારા ઘરમાંથી નીકળી ગયો હતો તે જ હું તમારે પુત્ર શૂરપાળ છું, આ રાજ્ય તમારું જ છે, હું તમારે સેવક છું. મેં તમને ઓળખ્યા છતાં પણ જાણીનેજ કર્મકરનું નિંદ્ય કર્મ કરવા દીધું, તે સર્વ મારો અવિનયાદિક ક્ષમા કરે.” શીળમતી પણ સર્વને પગે લાગીને બોલી કે –“મેં તમારું વચન નહીં અંગીકાર કરવાથી તમને સંતાપ ઉત્પન્ન કર્યો, તે તમે ક્ષમા કરજે. હે સસરાજી! તમારા વચનથી પણ મેં કંચુકનો ત્યાગ નહોતો કર્યો, તે મારે મારા ભર્તારનું વચન અવશ્ય પાળવાનું હતું, તેથીજ નહેતા કર્યો , બીજું કાંઈ કારણ નહતું.” આ બધી હકીકત સાંભળીને મહીપાળ અત્યંત હર્ષ પામી પોતાના પુત્ર શૂરપાળને ઓળખી બોલ્યો કે–“હે પુત્ર ! આ રાજલક્ષ્મી તને તારા જ પુણ્યથી મળી છે, માટે તુંજ ચિરકાળ સુધી તે ભેગવ. તારા દર્શનથી જ મારું મન અત્યંત હર્ષિત થયું છે.” એમ કહી રાજનીતિને જાણનાર મહીપાળે પાતે ઉભા થઈ પિતાનજ હાથે શૂરપાળને ઉભું કરી સિંહાસન પર બેસાડ્યા અને " રાજ્યપર સ્થાપન કરેલા પુત્રને પિતાએ પણ નમવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401