Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 9
________________ દુ:ખથી ગભરાય એ બીજા! તમે તમારે ઉપાય તો બતાવો. અજમાવી જોવામાં શું ખાટુંમોળું થવાનું છે?' પેલા ભાઈએ કહ્યું : ગામમાં વાળંદ રહે છે. તે નર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં હોશિયાર છે. તેને બોલાવી જુઓ.’ સરદારશ્રીએ તરત જ વાળંદને બોલાવ્યો. * વાળંદે કાખબિલાડી તપાસી જોઈ. તેણે કહ્યું : આને ફોડવી પડશે. એ માટે સળિયો તપાવીને એને લગાડવો પડશે. પછી અંદરનું બધું પરુ કાઢી નાખવું પડશે.' તમે કહેતા હો તો કરું.” સરદારે કહ્યું: “ભલે, ભલે, કરો ઉપાય.’ . એટલે વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કર્યો અને કાખબિલાડીને લગાડ્યો. કાખબિલાડી ફૂટી ખરી પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી! આ જોઈને સરદાર બોલી ઊઠ્યા : ‘અલ્યા, આમ જોયા શું કરે છે? લાવ, તારાથી ન થતું હોય, તો હું કરું.’ એમ કહી સરદારશ્રીએ વાળંદના હાથમાંથી ગરમ સળિયો લઈ લીધો. પછી પોતે જ એ સળિયાને અંદર ખોસી દીધો અને કાખબિલાડીની અંદર ચારે બાજુ ફેરવીને બધું પરુ કાઢી નાખ્યું ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66